સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday 2 December 2015

સૌરાષ્ટ્રમાં ''પાટીદાર પાવર''ઃ ૫૫માંથી ૪૭ તાલુકા પંચાયત ભાજપે ગૂમાવી

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

સૌરાષ્ટ્રમાં ''પાટીદાર પાવર''ઃ ૫૫માંથી ૪૭ તાલુકા પંચાયત ભાજપે ગૂમાવી

આ મતદાન જોશભેર નહી 'રોષ'ભેર હતું

પાંચ જિલ્લામાં પાંચ વર્ષ અગાઉ કોંગ્રેસ પાસે માત્ર પાંચ તાલુકા પંચાયત હતી, આ વખતે આવી સ્થિતિ ભાજપની

રાજકોટ, બુધવાર
એક સમયે પાટીદાર મતો ભાજપની મોટી તાકાત અથવા તો વોટબેન્ક ગણાતા હતા, આજે આ જ શક્તિપૂંજ ભાજપ માટે હારનું કારણ માનવામાં આવે છે, પાટીદારોની નારાજગી ભાજપને ભારે પડી ગઈ અને સૌરાષ્ટ્રની ૫૫માંતી ૪૭ બેઠકો ઉપર ભાજપની હાર થઈ છે.

સૌરાષ્ટ્રનો નકશો જોવામાં આવે અને તેના ઉપર આજના પરિણામો મૂકાય તો લગભગ ૭૦થી ૮૦ વિસ્તારોમાંથી કેસરીયો રંગ દૂર કરીને મતદારોએ પંજાનો પ્રભાવ પાથર્યો હોવાનું જોઈ શકાય છે. આ માટે પાટીદાર ફેકટરને મુખ્ય કારણ માનવામાં આવે છે.
સૌરાષ્ટ્રમાં ૫૫ તાલુકા પંચાયતોના પરિણામમાં ભાજપ આ વખતે બે આંકડે પણ પહોંચી શકી નથી. પાટીદાર પાવર આ માટે જવાબદાર મનાય છે.
સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપને પાટીદારોના મતો મળતા હતા પરંતુ આ વખતે પાટીદારોએ ચલાવેલા અનામત આંદોલનથી સરકાર સામે પ્રચંડ રોષ જન્મ્યો હતો અને આ રોષનું પ્રતિબિંબ આજના પરિણામમાં જોવા મળ્યું છે. પાટીદારોના આંદોલનને જ્યાં જોરદાર પ્રતિસાદ મળ્યો હતો તેવા મોરબી, અમરેલી, રાજકોટ, જૂનાગઢ જિલ્લામાં પંચાયતોમાં ભાજપને ભૂતકાળમાં ક્યારેય ન થયું હોય તેવું નુકસાન થયું છે.
પાટીદારોના આંદોલન અને તે પછી પોલીસ દમનના મામલે સરકારની ભૂમિકાથી ભારે નારાજગી સર્જાઈ હતી. આ પરિણામો તેનું પરિણામ હોવાનું માનવામાં આવે છે. જામનગર અને જૂનાગઢ તો એવા જિલ્લા છે જેની તમામ તાલુકા પંચાયતો કોંગ્રેસે જીતી લીધી છે. જૂનાગઢ જિલ્લાની ૯ અને જામનગર જિલ્લાની ૬ તાલુકા પંચાયતો ઉપર કમળ કરમાઈ ગયું છે.
રાજકોટ જિલ્લામાં એકમાત્ર રાજકોટ તાલુકા પંચાયત ભાજપના કબ્જામાં રહી છે, જ્યારે ધોરાજી, ઉપલેટા, જસદણ સહિતની ૯ તાલુકા પંચાયતો કોંગ્રેસે જીતી છે. અમરેલી, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકાની જિલ્લા પંચાયતોમાં ભાજપ માત્ર એક-એક તાલુકા પંચાયત જીતી શક્યું છે. પોરબંદર શહેર અને જિલ્લામાં ભાજપ પાલિકા-પંચાયત બંને સ્તરે જીત મેળવવામાં સફળ રહ્યો છે.
સૌરાષ્ટ્રની ૫૫ તાલુકા પંચાયતોમાંથી ૪૭ ઉપર કોંગ્રેસનો શાનદાર વિજય થયો છે જ્યારે ભાજપને ફાળે માત્ર ૭ તાલુકા પંચાયતો આવી છે.
 
જિલ્લો
   કુલ
        ૨૦૧૫
   ૨૦૧૦


-
તાલુકા
-
-
-
-
-
પંચાયતો
કોંગ્રેસ
ભાજપ
કોંગ્રેસ
ભાજપ
રાજકોટ
૧૧



૧૦
જામનગર


--
--

જૂનાગઢ


--


અમરેલી
૧૧
૧૦


૧૦
પોરબંદર

--

--

મોરબી


--


ગીર સોમનાથ





દેવભૂમિ દ્વારકા



--

કુલ
૫૫
૪૭


૫૦



માત્ર દોઢ વર્ષમાં લોકો ભાજપથી કંટાળ્યા
રાજકોટ સંસદીય મતક્ષેત્રમાં ભાજપે ગુમાવી દીધો જનાધાર!
આ પેટર્ન રહે તો ૨૦૧૭માં રાજકોટની ૩ બેઠકો પર ભાજપને જીતવું મૂશ્કેલ

રાજકોટ,બુધવાર
રાજકોટ શહેર અને જિલ્લાની ચૂંટણીના પરિણામો પર નજર કરતા એક આશ્ચર્યજનક બાબત એ બહાર આવી છે કે હજુ દોઢ વર્ષ પહેલા નરેન્દ્રભાઈ મોદીના છટ્ટાદાર ભાષણો વચ્ચે તેમણે પસંદ કરેલા મનાતા ઉમેદવારને જ્યાં અઢી લાખની જંગી લીડ મળી હતી તે રાજકોટ સંસદીય મતક્ષેત્રમાં ભાજપે માત્ર દોઢ વર્ષમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જનાધાર ગુમાવી દીધો છે!
રાજકોટમાં ભાજપ-કોંગ્રેસ લગભગ ફિફ્ટી ફિફ્ટી રહ્યું છે તો જસદણ, ટંકારા, મોરબી, વાંકાનેર, લોધિકા વગેરે સ્થળે કોંગ્રેસનો વિજય થયો છે. આ વિસ્તારો રાજકોટ મતક્ષેત્રમાં આવે છે. આમ, જો આ જ પેટર્ન રહે તો લોકસભાની આ બેઠક ભાજપે ગુમાવવી પડે.
એટલું જ નહીં, મતદાનની  આ જ પેટર્ન આગળ વધે તો રાજકોટ ધારાસભાની ચાર બેઠકો પૈકી બેે બેઠક પર કોંગ્રેસ જીતી જાય અને એક પર ભાજપને ટક્કર આપે તેવી સ્થિતિ સર્જાય તેમ છે.

નિતીન નથવાણી, મોહન સોજીત્રા જેવા જુના નેતાઓ હાર્યા
રાજકોટ શહેર તેમજ જિલ્લા ભાજપના બન્ને પ્રમુખો હાર્યા!
પક્ષપલ્ટો કરનારા મૂળ કોંગ્રેસીઓને જાકારો, પૂર્વ મૅયર અશોક ડાંગર બીજી વાર હાર્યા!

રાજકોટ,બુધવાર
રાજકોટ જિલ્લામાં મહાપાલિકા અને પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, મહત્વની બાબત એ છે કે શહેરમાં ભાજપના પ્રમુખ ભીખાભાઈ વસોયા અને જિલ્લામાં ભાજપના પ્રમુખ નાગદાનભાઈ ચાવડા બન્નેનો કારમો પરાજ્ય થયો છે. જિલ્લામાં તો ભાજપનો કરુણ રકાશ થયો તો શહેરમાં ભાજપ પ્રમુખના વોર્ડમાં આખી પેનલ હારી ગઈ છે.
તો ઈ.સ.૨૦૦૦માં રાજકોટ મનપામાં કોંગ્રેસનું શાસન આવ્યું ત્યારે જેને મૅયર પદે બેસાડયા તે અશોક ડાંગર પછી ભાજપનો ઉગતો સૂરજ જોઈને ભાજપમાં ભળી ગયા હતા. ગત ચૂંટણીમાં કોંગ્રેસની ટિકીટ પર લડનાર અશોક ડાંગરે આ વખતે ભાજપની ટિકીટ પર વોર્ડ નં.૧૬માં ઉભા હતા અને માત્ર તે એક નહીં પણ આખી પેનલ જ હારી ગઈ છે.
આ જ રીતે અગાઉ અન્ય પક્ષમાં જઈને ફરી કોંગ્રેસમાં આવી ટિકીટ મેળવનાર મોહન સોજીત્રાને પણ મતદારોએ જાકારો આપ્યો છે. જોકે વોર્ડ નં.૩માં ભાજપથી નારાજ કાર્યકરે પક્ષ છોડીને કોંગ્રેસની બેઠક પર ઝુકાવતા તે વિજેતા થયા છે.

ભાજપનું ચૂંટણી નેટવર્ક રૃપાણી જૂથને જ ફળ્યું?
આશ્ચર્યમ્! ભાજપના નેતાઓ તો કોંગ્રેસના કાર્યકરો જીત્યા!
ભારદ્વાજ, મિરાણી, શુક્લ,કાનગડ જીત્યા તો કોંગ્રેસના અતુલ રાજાણી, ગાયત્રીબા જીત્યા,રાઠોડ-મસરાણી હાર્યા

રાજકોટ,બુધવાર
રાજકોટમાં ભાજપનું શાસન ટકાવવા ભાજપે મંત્રી વિજય રૃપાણી વગેરેના માર્ગદર્શનમાં નેટવર્ક ગોઠવ્યું હતું પણ આશ્ચર્યની વાત એ છે કે આ વ્યુહરચનામાં ભાજપના શહેર પ્રમુખને બાદ કરતા તમામ મોટા માથાઓ તો જીતી ગયા છે પણ ભાજપના નવાસવા એવા અનેક કાર્યકરોનો ભાજપના ગઢ ગણાતા વિસ્તારમાં પણ પરાજ્ય થયો છે.
જેમ કે વોર્ડ નં.૭,૮,૯માં કોંગ્રેસ અને પાટીદાર ફેક્ટર સામે જબ્બર ટક્કર હતી છતાં વોર્ડ નં.૭માં કશ્યપ શુક્લ, વોર્ડ નં.૮માં મૅયર પદના મજબૂત દાવેદાર નિતીન ભારદ્વાજ તો વોર્ડ નં.૯માં કમલેશ મિરાણી, પૂષ્કર પટેલ વગેરેએ કોર્પોરેટર પદ જાળવ્યું છે. ઉપરાંત ડેપ્યુટી મૅયર ઉદય કાનગડ, જયમન ઉપાધ્યાયની પેનલ પણ વિજેતા થઈ છે.
બીજી તરફ કોંગ્રેસમાં જ્યાં મોટામાથાઓ ક્યાંક પોતે તો ક્યાંક માનીતાને ચૂંટણી લડાવતા હતા ત્યાં મોટાભાગે હાર મળી છે પણ વિપક્ષી નેતા તરીકે કાર્યરત રહેનારા વોર્ડ નં.૩માં અતુલ રાજાણી, ગાયત્રીબા વાઘેલા ફરીવાર વિજેતા થયા તો વશરામ સાગઠીયાએ ચૂંટણી પહેલા જ અમે તો જીતવાના જ છીએ તેમ કહ્યું તે સાચુ પડયું હતું. બીજી તરફ કોંગ્રેસમાં વગદાર ગણાતા નિતીન નથવાણીને ટિકીટ જેટલી આસાનીથી મળી ગઈ પણ વિજયપદ છેટું રહી ગયું. તો પક્ષપલ્ટો કરીને ફરી કોંગ્રેસમાં આવી ગયેલા ગત કોંગ્રેસ શાસનમાં ડેપ્યુટી મૅયર પદે રહેલા મોહન સોજીત્રાને હાર મળી છે.
પ્રવિણ રાઠોડ,કેયુર મસરાણી. બન્નેએ ગત ચૂંટણીમાં રૃપાણીના ગઢમાં ગાબડું પાડયું હતું પણ ત્યારે હરીફ બીજા હતા, આ વખતે તેમના કહેવા પ્રમાણે સામ,દામ,દંડ,ભેદ વાપરનાર શુક્લ હતા તેથી હાર્યા છે.
Source :-http://www.gujaratsamachar.com
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment