સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday 13 February 2015

બેંકો દ્વારા ક્રેડિટ કાર્ડના બાકી બીલ પર વસુલાતું વ્યાજ હળવું થવાના એંધાણ

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

બેંકો દ્વારા ક્રેડિટ કાર્ડના બાકી બીલ પર વસુલાતું વ્યાજ હળવું થવાના એંધાણ

ઇલેક્ટ્રોનીક બેંકિંગ ટ્રાન્ઝેક્શનમાં ગ્રાહકની જવાબદારી

ઝીરો કરવાની નીતિ અંગે ટૂંકમાં નિયમો ઘડાશે

અમદાવાદ, શુક્રવાર
તાજેતરમાં રિઝર્વ બેંક દ્વારા ક્રેડિટ કાર્ડની બાકી રહેતી રકમ પર વસુલવામાં આવતા વ્યાજના દર અંગે કરાયેલી ટીપ્પણીને જોતાં આગામી સમયમાં બેંકો દ્વારા ક્રેડિટ કાર્ડનો હપ્તો ભરવાની તારીખ જતી રહે તો બાકી રહેલી રકમ પર બેંકો જે જંગી વ્યાજ વસુલે છે તેમાં ઘટાડા થવાના સંકેતો સાંપડે છે.
તાજેતરમાં રિઝર્વ બેંકે જાહેર કરેલા એક રિપોર્ટમાં સંકેત આપતા જણાવ્યું હતું કે, ક્રેડિટ કાર્ડની બાકી રહેતી રકમ પર વસૂલવામાં આવતા વ્યાજ દર સમાન જોખમ ધરાવતી અન્ય પ્રોડક્ટસ કરતા ખૂબ વધારે હોય છે. આથી આવા ચાર્જ વ્યાજબી હોવા જોઈએ.
રિઝર્વ બેંકે એન્યુઅલ રિપોર્ટ ઓન બેન્કિંગ ઓમ્બડ્સમેન ૨૦૧૩-૧૪માં જણાવ્યું હતું કે, 'આ ચાર્જમાં વાજબીપણું અને પારદર્શકતા લાવવા માટે બેન્કોએ સમીક્ષા કરવી જોઈએ. આ અંગે IBA દ્વારા બેન્કોને વિગતવાર ધારાધોરણો ઇશ્યુ કરવામાં આવશે.'
ક્રેડિટ કાર્ડને અનસિક્યોર્ડ પ્રોડક્ટસ ગણાવીને બેન્કો ઉંચુ વ્યાજ વસુલે છે. અગાઉ કન્ઝ્યુમર સંગઠનો આ ચાર્જને વધારે પડતા હોવાનું જણાવી ચૂક્યા છે છતાં બેંન્કો ક્રેડિટ કાર્ડને અતિ જોખમી ગણાવીને આટલા ઉંચા ચાર્જ બરાબર હોવાનું કહેતી આવી છે.
લૉન પર બેન્કો ૧૦- ૧૦.૫% વ્યાજનો દર વસુલે છે. જ્યારે ક્રેડિટ કાર્ડની બાકી રહેતી રકમ પર ૩૬ ટકા જેટલો ઉંચો વ્યાજદર વસુલે છે.
ભારતમાં અત્યારે બે કરોડ ક્રેડિટ કાર્ડધારકો છે અને ક્રેડિટ કાર્ડ દ્વારા ખર્ચ કરવાની માસિક સરેરાશ પણ નાણાંકીય વર્ષ ૨૦૧૩-૧૪ના રૃા. ૧,૦૩૫ કરોડથી ૨૮.૫ ટકા વધીને અત્યારે માસિક રૃા. ૧૫૪૭૦ કરોડ થઈ ગઈ છે.
૨૦૧૩-૧૪માં મળેલી કુલ ફરિયાદોમાંથી ૨૪ ટકા જેટલી ફરિયાદો ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને ATM કાર્ડની હતી ૨૦૧૨-૧૩માં ૭૦,૫૪૧ ફરિયાદો મળી હતી જે ૨૦૧૩-૧૪માં ૮.૫૫ ટકા વધીને ૭૭૫૭૩ થઈ ગઈ હતી. કાર્ડ સંબંધિત કુલ ૧૮૪૭૪ ફરિયાદોમાંથી ૧૦,૭૧૪ ફરિયાદો ATM /ડેબિટ કાર્ડ સંબંધિત હતી.
ઇલેક્ટ્રોનિક બેન્કિંગ ટ્રાન્ઝેક્શનમાં ગ્રાહકની જવાબદારી ઝીરો કરવાની નીતિ અંગે બેંકો અને ઇન્ડિયન બેન્કસ એસોસીએશન (બેન્ક લોબી) ટૂંક સમયમાં નિયમો તૈયાર કરશે એમ પણ આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment