સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday 16 March 2015

ઉ.ભારતમાં કમોસમી વરસાદથી રવી પાકોને ભારે નુકસાન

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

ઉ.ભારતમાં કમોસમી વરસાદથી રવી પાકોને ભારે નુકસાન

જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષા, વરસાદથી જનજીવન ખોરવાયું

પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પણ મધ્યમથી ભારે વરસાદ


ઘઉં, વટાણા, બટાકા અને કેરીના પાકને નુકસાન થવાની ભીતિ
જમ્મુના પૂંચ જિલ્લામાં ભૂસ્ખલનથી ત્રણનાં મોત

(પીટીઆઇ)    નવી દિલ્હી, તા. ૧૬
ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા,રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરમાં કમોસમી વરસાદને કારણે સામાન્ય માનવી અને ખેડૂતો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના કાનપુરમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને વીજળી પુરવઠો ખોરવાઇ જતા સામાન્ય જનજીવન અસ્તવ્યવસ્ત બની ગયું છે.
ચંદ્રશેખર આઝાદ યુનિવર્સિટીના હવામાન વિજ્ઞાાની અનિરુદ્ધ દુબેએ જણાવ્યું હતું કે ગઇકાલ રાત સુધી કાનપુરમાં ૭૦ મીમી વરસાદ પડયો છે. વરસાદને કારણે ઘંઉ, વટાણા, બટાકા અને કેરીના પાકને ભારે નુકસાન થયું છે.
જમ્મુમાં ભારે વરસાદને કારણે જમ્મુ શ્રીનગર નેશનલ હાઇવે બંધ કરી દેવામાં આવતા ૨૦૦૦થી વધુ વાહનો અટવાઇ ગયા હતાં. ભારે વરસાદને કારણે જમ્મુના નીચાણવાળા વિસ્તારોમાં પુરનું જોખમ ઉભુ થયું છે.
નેશનલ હાઇવે ટ્રાફિકના એસએસપી સંજય કોટવાલે જણાવ્યું હતું કે જવાહર ટનલ પાસે બે ફૂટ જેટલી બરફવર્ષા અને ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થતાં હાઇવેને બંધ કરવાની ફરજ પડી હતી.  જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લામાં હારિ ગામમાં ભૂસ્ખલનને કારણે ૧૬ વર્ષની યુવતી સહિત કુલ ત્રણનાં મોત થયા છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટનાઓનું પ્રમાણ વધી ગયું છે.  પંજાબ અને હરિયાણામાં સામાન્ય થી લઇને ભારે વરસાદ પડતા ખેડૂતો ચિંતિત બની ગયા છે. આ મહિનાની શરૃઆતમાં પડેલા કમોસમી વરસાદને કારણે અગાઉથી જ ખેડૂતો મુશ્કેલીમાં હતાં.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પંજાબમાં ચંદીગઢ ઉપરાંત લુધિયાણા, માણસા, નવાનશેહર, પટિયાલા, અમૃતસર, મોહાલી અને જલંધર તથા હરિયાણામાં ગુડગાંવ,અંબાલા, પંચકુલા, હિસાર અને મહેન્દ્રગઢમાં પણ સામાન્ય થી લઇને ભારે વરસાદ થયો હતો.
હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર અગાઉ જ જણાવી ચૂક્યા છે કે કમોસમી વરસાદને કારણે રવિ પાકને ભારે નુકસાન થયું છે. પંજાબના મુખ્યપ્રધાન પ્રકાશસિંહ બાદલે ખેડૂતો માટે કેન્દ્ર સરકાર પાસેથી વળતરની માગ કરી છે.



રાજસ્થાનમાં વરસાદ આધારિત દુર્ઘટનાઓમાં ત્રણ દિવસમાં ૨૫નાં મોત
૩૩માંથી ૨૬ જિલ્લાઓમાં પાકને ભારે નુકસાન

(પીટીઆઇ)    જયપુર, તા. ૧૬
રાજસ્થાનમાં વરસાદ આધારિત ઘટનાઓમાં  છેલ્લા ત્રણ દિવસમાં ૨૫ લોકોનાં મોત થયા છે. છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદને કારણે રાજ્યના ૩૩ જિલ્લાઓમાંથી ૨૬માં પાકને ભારે નુકસાન થયું છે.
આ દરમિયાન રાજ્ય સરકારે તમામ જિલ્લા અધિકારીઓનેે પાકને થયેલા નુકસાનની સમીક્ષા કરી વહેલી તકે અહેવાલ સુપરત કરવાના આદેશ આપ્યા છે. જેથી સરકાર વહેલામાં વહેલી તકે અસરગ્રસ્ત ખેડૂતોને મદદ કરી શકે.
રાજસ્થાનનાં મુખ્ય સચિવ સી એસ રાજને વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા જિલ્લા કલેક્ટરો અને ડિવિઝનલ કમિશનરોને વરસાદ અસરગ્રસ્ત જિલ્લાઓની સમીક્ષા કરવાના આદેશ આપ્યા છે.
રાજસ્થાનના આપત્તિ અને રાહત પ્રધાન જી સી કટારિયાએ જણાવ્યું હતું કે વરસાદ આધારિત ઘટનાઓમાં ૨૫ લોકો, ૧૬૬ ઢોર અને ૧૩૧૫ પશુઓનાં મોત થયા છે.

જમ્મુ-કાશ્મીરમાં ખરાબ હવામાનને કારણે તમામ ફલાઇટો રદ
(પીટીઆઇ)    શ્રીનગર, તા. ૧૬
ખરાબ હવામાનને કારણે શ્રીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવતી અને જતી તમામ ફલાઇટો રદ કરવામાં આવતા અનેક પ્રવાસીઓ અટવાઇ ગયા હતાં.   ખરાબ હવામાનને કારણે આજની નિર્ધારિત તમામ ૧૪ ફલાઇટો રદ કરવામાં આવી હતી.  એરપોર્ટના અધિકારીએ જણાવ્યું હતું કે જો આવતીકાલે હવામાન સારુ રહેશે તો પ્રવાસીઓના ભારે ઘસારાને પહોંચી વળવા માટે વધારાની ફલાઇટોની વ્યવસ્થા કરાશે.

કાશ્મીર ખીણમાં હિમપ્રપાતની ચેતવણી
(પીટીઆઇ)    શ્રીનગર, તા. ૧૬
કાશ્મીર ખીણમાં સોમવારે સવારથી ભારે હિમવર્ષાના પગલે સત્તાવાળાઓએ મોટા ભાગનાં જિલ્લાઓમાં 'મધ્યમ ભયજનક હિમપ્રપાત'ની ચેતવણી જારી કરી હતી. સત્તાવાર પ્રવકતાના જણાવ્યાનુસાર બાંદીપોરા, બારામુલ્લા, અનંતનાગ, કુલગામ, પુલવામા, ગાન્ડરબાલ અને કુપવાડા સહિતના જિલ્લાઓમાં હિમપ્રપાતનો ખતરો તોળાઇ રહ્યો છે.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment