સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 31 July 2014

પેકેજિંગથી સંતોષ થશે તો કેરીની આયાત ઉપરનો પ્રતિબંધ હટાવશે

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

પેકેજિંગથી સંતોષ થશે તો કેરીની આયાત ઉપરનો પ્રતિબંધ હટાવશે

ભારત દ્વારા કરવામાં આવતા

યુરોપિયન યુનિયન

ઇયુની ટીમ સપ્ટેમ્બરમાં ભારત આવી નાશવંત પેદાશોના પેકેજિંગની ચકાસણી કરશે

નવી દિલ્હી, ગુરૃવાર
ભારતીય હાફુસ કેરી અને કેટલાક શાકભાજી ઉપર યુરોપિયન યુનિયન(ઇયુ)એ મૂકેલો આયાત પ્રતિબંધ પેકેજિંગનું સ્તર બહેતર બનાવવામાં આવે તો તેને ઇયુ પાછો ખેંચી લેવા  વિચારી શકે. ઇયુના ક્વાલિટી ઇન્સ્પેક્ટરોને જો પેકેજિંગના નવા કઠોર નિયમોના અમલથી સંતોષ થશે તો ઇયુ ભારતના નાશવંત ઉત્પાદનોની આયાત ઉપરનો પ્રતિબંધ પાછો ખેંચી શકે છે, એમ સૂત્રોએ અહી જણાવ્યું હતું.
યુરોપિયન યુનિયનના પ્લાન્ટ અને હેલ્થ વિભાગની એક ટીમ આવતા સપ્ટેમ્બર મહિનામાં ભારતની મુલાકાતે આવી રહી છે અને તેઓ આપણી પકેજિંગ વ્યવસ્થા અને નિયમોનું પરિક્ષણ કરશે. આપણે જે ચીજ વસ્તુની નિકાસ કરીએ છીએ તે સ્થળની સ્વચ્છતા અને પેકેજિંગની ગુણવત્તા સારી હોવાનું તેમને જણાશે તો તેઓ પ્રતિબંધ પાછો ખેંચી લેશે, એમ વાણિજ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું.
યુરોપના ૨૭ રાષ્ટ્રોના સમૂહ ઇયુએ ગયા મે માસમાં ભારતની હાફુસ કેરી, કારેલાં, અળશીના પાન અને  લાંબી પડવળની આયાત ઉપર ૩૧ ડિસેમ્બર ૨૦૧૫ સુધી પ્રતિબંધ મૂકયો હતો. અમુક કન્સાઇન્મેન્ટમાં જીવાત જોવા મળ્યા બાદ ઇયુએ આ બેન મૂક્યો હતો.
જોકે, ભારત આ પ્રતિબંધને અન્યાયી ગણાવતા કહે છે કે દેશમાં પેકેજિંગ અને ઇન્સ્પેકશનના કઠોર નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે અને તે વડે તમામ કન્સાઇન્મેન્ટ જંતુ રહિત હોવાની ખાતરી પણ કરવામાં આવે છે. પ્લાન્ટ પ્રોટેક્શન ઇન્સ્પેક્ટરોના નેજા હેઠળ એપેડા દ્વારા પ્રમાણિત કરવામાં આવેલા પેક હાઉસમાંથી જ તમામ નિકાસલક્ષી નાશવંત ચીજોનું પેકેજિંગ કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું હોવાનું વાણિજ્ય મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું.
ઇયુના પ્રતિબંધના કારણે ભારતની નાશવંત ચીજોની નિકાસ ઉપર માત્ર ૫ ટકા જેટલી અસર થઇ છે પણ તે કારણે ભારતની પ્રતિષ્ઠાને હાનિ પહોંચતી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.   
 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment