સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday 29 June 2015

ગ્રીસની કટોકટીથી ભારતના અર્થતંત્ર પર સંકટનાં વાદળો

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

ગ્રીસની કટોકટીથી ભારતના અર્થતંત્ર પર સંકટનાં વાદળો

ભારતમાં વિશ્વના દેશોએ કરેલું રોકાણ પરત થવાની સંભાવના

સ્થિતિનો સામનો કરવા માટે સરકાર તૈયાર ઃ રાજીવ મહર્ષિ

યુરો નબળો પડશે તો ભારતની સોફ્ટવેર અને એન્જિનિયરિંગ નિકાસને અસર થવાનો ભય
(પીટીઆઇ)    નવી દિલ્હી, તા. ૨૯
ગ્રીસની નાણાકીય કટોકટીને પગલે ભારતમાંથી મૂડી પરત ખેંચાવાની શક્યતા છે અને સ્થિતિનો સામનો કરવા માટે સરકાર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સાથે ચર્ચા કરી રહી છે તેમ નાણા સચિવ રાજીવ મહર્ષિએ આજે જણાવ્યુૅ હતું.ઉદ્યોગપતિઓના મતે યુરો નબળો પડશે તો ભારતની સોફ્ટવેર અને એન્જિનિયરિંગ નિકાસમાં ઘટાડો થવાનો અંદાજ છે. એસોચેમના જણાવ્યા અનુસાર ભારતીય અર્થતંત્ર ગ્રીસ સાથે સીધો સંકળાયેલું નથી પણ યુરોપિયન યુનિયનને અસર થશે તો તેની પરોક્ષ અસર ભારતીય અર્થતંત્ર ઉપર પણ જોવા મળશે.
ગ્રીસના આર્થિક સંકટને પગલે બીએસઇ સેન્સેક્સ શરૃઆતમાં ૫૦૦ પોઇન્ટ તૂટયો હતો જો કે બપોરે સેન્સેક્સમાં સુધારો થયો હતો અને અંતે સેન્સેક્સ ૧૬૭ પોઇન્ટ તૂટીને બંધ રહ્યો હતો. આ દરમિયાન નાણા સચિવ મહર્ષિએ પત્રકારોને જણાવ્યું હતું કે અમે આરબીઆઇના સતત સંપર્કમાં છીએ. આ સંદર્ભમાં જરૃર પડશે તો આરબીઆઇ પગલા ભરશે.  તેમણે જણાવ્યું હતું કે ગ્રીસ નાણાકીય કટોકટીની ભારત પર સીધી કોઇ અસર થશે નહીં. જો કે મૂડી પ્રવાહ પર યુરોપ દ્વારા પરોક્ષ અસર થઇ શકે છે. યુરોપમાં વ્યાજ દર વધી શકે છે. યુરોપમાં વ્યાજ દર વધવાને કારણે ભારતમાંથી મૂડી પરત ખેંચવામાં આવે તેવી શક્યતા છે.
તેમણે કહ્યું હતું કે સ્થિતિ બદલાઇ રહી છે. જેટલી અસર યૂરો પર થશે તેટલી અસર ભારતના મૂડીપ્રવાહ પર થઇ શકે છે. જો યુરો બોન્ડનું વેચાણ વધશે તો તેની અસર પણ ભારતના મૂડીપ્રવાહ પર થવાની શક્યતા છે. કોઇ પણ ભવિષ્યવાણી કરી શકે તેમ નથી કે સ્થિતિ કેવી રહેશે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું કોઇ ભારતીય કંપની ગ્રીસમાં બિઝનેસ ધરાવે છે? તો તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે મને જાણ નથી. અમેરિકામાં પણ જો સરકારી બોન્ડનું વેચાણ વધશે તો તેની અસર પણ ભારતીય મૂડીપ્રવાહ પર થવાની સંભાવના છે. અમને ખબર નથી કે વિદેશી રોકાણકારો પોતાની મૂડી ક્યાં લઇ જશે?
ઉલ્લેખનીય છે કે ગ્રીસે આજે મૂડી પર નિયંત્રણ મૂકી દીધા છે અને ૬ જુલાઇ સુધી બેન્કો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન એલેક્સિસ સિપ્રાસે યુરોપીય દેશોના પ્રસ્તાવિત રાહત પેકેજ અંગે ૫ જુલાઇએ મતદાન કરવાની જાહેરાત કરી છે.

ગ્રીસમાં ૬ જુલાઇ સુધી બેંકો બંધ રહેશે  એટીએમમાંથી માત્ર ૬૫ ડોલર મળશે
ગ્રીસમાં એટીએમમાંથી નાણા ઉપાડવા લાંબી લાઇનો ઃ ભારતના ઓટો એસિલરીઝ, આઇટી અને ફાર્મા  સેકટરને અસર થવાની સંભાવના

નવી દિલ્હી, તા. ૨૯
સોમવાર સવારે ગ્રીસ સરકારે તમામ બેંકોને ૬ જુલાઇ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે.. બેંકોની સાથે ગ્રીસમાં એટીએમમાંથી પણ નાણા ઉપાડવા ઉપર પણ નિયંત્રણ લાદવામાં આવ્યા છે. એટીએમમાંથી મહત્તમ ૬૫ ડોલર જ ઉપાડી શકાશે. ગ્રીસના વડાપ્રધાન એલેક્સિસ સિપ્રાસે ૫ જુલાઇએ મતદાન કરાવવાની જાહેરાત કરી છે. સરકારના આ નિર્ણય પછી સમગ્ર ગ્રીસમાં એટીએમમાંથી નાણા ઉપાડવા માટે મોટી લાઇનો જોવા મળી રહી છે.  નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હવે ગ્રીસના ચલણનું યુરોથી બહાર નીકળવું લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. ગ્રીસ સરકારને મંગળવાર સુધીમાં આઇએમએફ પાસેથી લીધેલી લોનની ચુકવણી કરવાની છે.
અનેક ભારતીય કંપનીઓ ગ્રીસ અને અન્ય યુરોપિયન દેશોમાં વેપારી હિત ધરાવે છે. યુરોમાંથી ગ્રીસ બહાર જશે તો યુરો નબળો પડવાની શક્યતા છે. ગ્રીસની કટોકટીને કારણે ભારતના ઓટો એંસિલરીઝ, આઇટી અને ફાર્મા  સેકટરને અસર થવાની સંભાવના છે.
ભારત ફોર્જ, મધરસન સુમી, કોક્સ એન્ડ કિંગ જેવી કંપનીઓ પર ટૂંકા ગાળમાં અસર થવાની શક્યતા છે. ટૂરિઝમ સ્ટોક કોક્સ એન્ડ કિંગ્સ અને થોમસ કિંગ જેવી કંપનીઓના બિઝનેસ ઉપર પણ અસર પડી શકે છે.

ગ્રીસવાસીઓને 'યસ'ની તરફેણમાં મતદાન કરવાની અપીલ
(પીટીઆઇ)    બ્રસેલ્સ, તા. ૨૯
યુરોપિયન કમિશનના વડા જીન કલાઉડ જંકરે ગ્રીસવાસીઓને રવિવારે થનારા મતદાનમાં 'યસ'ની તરફેણમાં મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે હું ગ્રીસવાસીઓને જણાવવા માગુ છું કે મૃત્યુના ભયે તમે આત્મહત્યા કરવાનું પસંદ કરશો નહીં. તેમણે જણાવ્યું હતું કે જો તમે 'નો'ની તરફેણમાં મતદાન કરશો તો ગ્રીસ યુરો ઝોનમાંથી બહાર નીકળી જશે. જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલે પણ ચેતવણી આપી છે કે જો યુરો તૂટશે તો યુરોપ તૂટી જશે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Wednesday 17 June 2015

CCTVએ ગુનાખોરીના કિસ્સાઓને બરાબર સકંજામાં લીધા છે

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

CCTVએ ગુનાખોરીના કિસ્સાઓને બરાબર સકંજામાં લીધા છે

ગુનાહિત પ્રવૃત્તિઓ સામેની આ તીસરી આંખ કારગત બનતી જાય છે તેમ તેનો કારોબાર પણ વધતો જાય છે

સીસી ટીવી કેમેરાની મદદથી ગુનેગારોની હિલચાલના ફૂટેજ મેળવીને સકંજો કસવામાં ખૂબ મદદ મળી રહી છે.ગુનાખોરીની દૂનિયાના અનેક કિસ્સાઓ છે જે માત્ર સીસી ટીવીની મદદથી જ ઉકેલાયા છે.ગુનાહિત માનસ ધરાવતા લોકોમાં સીસી ટીવીએ ફફડાટ ફેલાવ્યો છે.આથી ચિલાચાલુ રીતથી ગુનો આચરવો હવે શકય બને તેમ નથી. વસ્ત્રાપુર પાસે અતિ ચકચારી બનેલા વિસ્મય  હીટ એન્ડ રન કેસમાં પણ સીસીટીવીના ફૂટેજ એક કેમરામાં કેદ થઇ ગયા હતા.સાબરમતી જેલની એક બેરેક આખી રાત ખુલ્લી રહી જયાં રીઢા ગુનેગારો વસવાટ કરે છે.તે પણ સી સી ટીવી કેેમેરાની નજરમાં આવ્યું હતું.શિવરંજની પાસે લૂંટ કેસમાં પણ સી સી ટીવીના ફૂટેજ અદાલતમાં મુકવામાં આવ્યા હતા.માણેક બાગ બીઆરટીએસ કોરિડોરમાં ઉંમગ નામના એક કોલેજીયનને અકસ્માત કરીને મોતને ઘાટ ઉતારનાર કાર નિયમ ભંગ કરીને કોરિડોરમાં ફુરપાટ ઝડપે દોડતી હતી તે એક બેંકના એટીએમમાં ગોઠવેલા સીસી ટીવી કેમેરામાં ઝડપાએલી એક માત્ર સાબીતી હતી.આમ સુરક્ષાની ત્રીજી આંખ મહત્વની સાબીત થઇ રહી છે.

કેમેરા સામે આવતા કર્મચારીઓ પર તેનીનકારાત્મક અસર પડી રહી છે
ચોર,લુંટારા અને અસામાજીક તત્વોને જેર કરીને જાહેર શાંતિ અને સલામતી માટે જરૃરી છે.મુંબઇમાં હોટલ તાજ પરની આંતકવાદી ઘટના બની એ પછી મોટા શહેરોમાં સીસી ટીવી કેમેરા ગોઠવવામાં આવી રહયા છે.પરંતુ બીજી બાજુ નાનો મોટો કારોબાર ધરાવતી કોર્પોરેટ ઓફિસોના ટેબલ સુધી કેમેરા ગોઠવાઇ ગયા હોવાથી કામ કરનારા કર્મચારીઓ ભાર અને માનસિક તાણનો અનુભવ કરે છે.સતત કોન્સિયસ થઇને કામ કરવું પડતી હોવાની પણ ફરિયાદો પણ ઉઠી રહી છે.એક સમયે ડાયમંડ તથા જવેલરીના મેન્યુફેકચરિંગમાં કેમેરા ગોઠવીને નજર રાખવામાં આવતી કારણ કે કારીગરોના ખિસ્સા તપાસીને અપમાનજનક સ્થિતિમાં મુકવા કરતા આ એક સન્માનજનક રસ્તો હતો.પરંતુ હવે તો સીસી ટીવી કેમેરા જાણે કે ફેશન થઇ ગઇ હોય એમ કર્મચારીની બેઠ ઉઠની એક એક હિલચાલ વીથ સાઉન્ડ ગોઠવવામાં આવે છે આથી કામ કરનારા કર્માચારીઓ રીલેકસ હોવાનો અનૂભવ કરી શકતો નથી.આ પણ એક સમસ્યા છે.એક કર્મચારી દિનેશભાઇ (નામ બદલ્યું છે) કહે છે અમારી ઓફિસમાં સીસી ટીવી કેમેરાથી નજર રાખવામાં આવતી હોવાથી નોકરી ત્રાસદી જેવી લાગે છે.આપણે ત્યાં નોકરી કરનારા કર્મચારીઓના માનસ શાસ્ત્રીય અભ્યાસ કરીએ થોડી વારે ઉભા થવા અને પગછુટો કરવા ટેવાયેલા હોય છે.તેના પર નિયંત્રણ આવી જાય એ માનવ અધિકાર પર તરાપ છે.એક કોપોર્રેટ હાઉસમાં નોકરી કરતા પ્રતિક પટેલ (નામ બદલલે છે)ના જણાવ્યા અનુસાર કંપની સત્તાવાળાઓ એમ માને છે કે કેમેરા રાખવાથી કર્મચારીઓના કામ પર નજર રાખી શકાય છે અને આઉટપૂટમાં વધારો થાય છે તો તે સાવ ખોટું છે.આનાથી સીરીયસલી કામ કરતા કર્મચારીઓ પર નકારાત્મક અસર પડે છે.

આજે દરેકને ચોરી, લૂંટ કે અન્ય ગુનાઓ સામે સી.સી. ટીવી કેમેરા ઘણા મદદરૃપ થઈ રહી છે. તેથી મંે પણ મારા પાર્લરની અંદર અને બહાર સી.સી.ટીવી કેમેરાઓ લગાવ્યા છે. જેથી કરીને મારા પાર્લરના સામાન પર નજર રહે છે અને સેફ્ટી પણ જળવાય છે.
જીજ્ઞોશ પટેલ,
પાર્લર ચલાવનાર

કોર્પોરેટ ઓફીસથી માંડી પાનના ગલ્લા સુધી

સી.સી.ટીવી (ક્લોઝડ-સર્કીટ ટેલીવિઝન) કેમેરા જાહેર સ્થળોથી માંડીને ગલી ખૂંચીમાં પણ ચોકીદારી કરતા નજરે ચડે છે. એક સમયે લકઝરિયસ ગણાતા સીસી ટીવી કેમેરા આજે સાવ સામાન્ય બની ગયા છે. આથી સીસી ટીવી કેમેરાનું માર્કેટ પણ કુદકે ને ભૂસકે વધતું જાય છે.એક માહિતી મુજબ અમદાવાદમાં સુરક્ષા અને સલામતી જેવા કારણોસર સર્વેલન્સ સિસ્ટમના ધંધામાં તેજીનો માહોલ જોવા મળે છે.ભારતના મોટા ભાગના શહેરો ઝડપથી સી.સી ટીવીના લેન્સમાં કેદ થઇ રહયા છે.કારણ કે ગુનાખોરીના ઇતિહાસમાં ના ઉકેલાઇ હોય તેવી ગૂંચ અને ભેદભરમ સીસી ટીવી કેમેરાઓ પકડી પાડે છે. આ મહત્વને ધ્યાનમાં રાખીને છેલ્લા ૫ વર્ષમાં સીસી ટીવી  કેમેરાઓ ઓફિસ, સોસાયટી, જાહેર રસ્તાઓ, ટ્રાફિક દરેક સ્થળે કેમેરા લગાવવાનું વધતું જાય છે. એક સમયે હીરા અને જવેલરી ઉધોગ તથા ગણી ગાંઠી કોર્પોરેટ ઓફિસોમાં સીસી ટીવી ગોઠવવામાં આવતા આજે ચાર રસ્તા પરની દૂકાનો, મેડિકલ સ્ટોર, પ્રોવિઝન સ્ટોર, મીઠાઇની દુકાનોથી માંડીને પાનના ગલ્લા પણ બાકાત નથી રહયા. કેટલાક સ્થળે તો ચા ની કિટલીવાળાઓ પણ સીસી ટીવીમાં પોતાના ગ્રાહકને કેદ કરી દિધા છે.

સી.સી.ટીવી કેમેરાના કારણે ચેઈન સ્નેચિંગ, એક્સિડન્ટ, લૂંટ વગેરે જેવા ગુનાખોરી  કિસ્સાઓમાં પોલિસને મદદ મળી છે. સીસી ટીવી ફૂટેજના આધારે ન્યાયિક પ્રક્રિયા જલદી બને છે. તેથી સીસી ટીવીને ત્રિ નેત્ર પણ કહેવામાં આવે છે.
 બી.બી ગોહિલ, એસઓજી બ્રાન્ચ, અમદાવાદ રૃરલ

શહેરમાં અંદાજીત સીસીટીવી

અંદાજીત ૩૦ ટકાથી વધારે સી.સી.ટીવી કેમેરા માર્કેટમાં નાની ગલીથી લઈને મોટી ઓફિસોમાં લગાવેલા જોવા મળે છે.

કેમેરાના ફરજિયાત લોકેશન

ગવર્મેન્ટ ઓફિસ, રેસ્ટોરન્ટ, જ્વેલેરી શૉરૃમ, મોલ્સ, હોસ્પિટલ, કેટલાક ટ્રાફિક સ્ટેશનો પર, કેટલીક સોસાયટીમાં, જરૃરીયાત હોયતો બસ પોતાની અન્ય પ્રોપર્ટી માટે કેમેરા લગાવવામાં આવે છે.

સુરક્ષા અને સલામતીની ચિંતાના પગલે સી સી ટીવી કેમેરાની ટેકનોલોજીના મેન્યુફેકચરિંગમાં તેજીનો પવન દેખાય છે.એક સમયે સોસાયટીઓ અને ફેલેટસ કલ્ચરમાં કોઇ પણ આવી શકતું ને જઇ શકતું પોસ એરિયામાં રહેણાંક ધરાવતા લોકો પણ માત્ર ચોકિયાત રાખીને કામ ચલાવી લેતા પરંતુ હવે બદલતા સમયમાં સી સી ટીવીની ત્રીજી આંખ ગોઠવાઇ રહી છે.નવા રહેણાંક વિસ્તારોમાં તો સીસી ફરજીયાત જેવા થઇ ગયા છે જુના મકાનો અને ફલેટોમાં રહેતા લોકોના પણ માનસ બદલાયા છે.સી સી ટીવી કેમેરાથી રક્ષણ મળે તે માટે ભંડોળ ભેગું કરતા થયા છે.

કેમેરાનું બજાર કેેટલું અપ થયું

પોતાની સેફ્ટીને ધ્યાનમાં રાખતા મોટાભાગના લોકો અવેર થતા છેલ્લા છ વર્ષથી સી.સી. ટીવી કેમેરાનું બજાર વધારે ચાલી રહ્યું છે.

કેટલી કિંમતના સી.સી.ટીવી કેમેરા વન થાઉઝન્ડના નોર્મલ અને નાના કેમેરાથી લઈને એક લાખની કિંમત સુધીના કેમેરા લોકો લગાવવાનું વધારે પસંદ કરતા હોય છે.

ગુના ઉકેલવા પોલીસ માટે ત્રિનેત્ર

સી.સી.ટીવી કેમેરાના કારણે ગુનાખોરીના અનેક કિસ્સાઓ પોલિસ દ્વારા ઉકેલવામાં આવ્યા છે.  વધારે મદદ મળે તે માટે સોસાયટીઓ માટે ઓપરેશન ત્રિ નેત્ર પણ શરૃ કરાયું છે. જેમાં સોસાયટીને દોઢ લાખ સુધીનો ખર્ચ પણ મળી રહે છે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Friday 12 June 2015

બ્લેક મની એકટની જોગવાઈઓમાં રહેલા ગૂંચવાડા અંગે નાણાં મંત્રાલય સ્પષ્ટતા બહાર પાડશ

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

બ્લેક મની એકટની જોગવાઈઓમાં રહેલા ગૂંચવાડા અંગે નાણાં મંત્રાલય સ્પષ્ટતા બહાર પાડશ

નવી દિલ્હી, શુક્રવાર
તાજેતરમાં જ ઘડાયેલા અનડિસ્કલોઝડ ફોરેન એસેટસ એન્ડ ઈન્કમ એકટ જે સાદી ભાષામાં બ્લેક મની વિરોધી ધારા તરીકે ઓળખાય છે તેના પર ટૂંક સમયમાં ચોખવટ કરાશે એમ નાણાં મંત્રાલયે ગુરુવારે જાહેર કર્યું હતું. કાયદાની કેટલીક જોગવાઈઓને લઈને અનેક લોકોએ ચિંતા વ્યકત કરી છે ખાસ કરીને વિદેશમાં પડેલી બિનહિસાબી સંપતિ જાહેર કરવા માટેના સૂચિત માર્ગ સંદર્ભે સવાલ ઊભા થઈ રહ્યા છે.
નવા બ્લેક મની કાયદા અંગે અનેક લોકો તરફથી ખોટી અફવાઓ ફેલાવાઈ રહી છે. કેટલાક પ્રમાણિક મુદ્દાઓ અંગેથી અમે વાકેફ છીએ એમ નાણાં મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું અને આ માટે ખાસ પ્રશ્નોતરી બહાર પડાશે. ધારામાંની કેટલીક જોગવાઈઓ અને કલમોને કારણે મુંઝવણો પેદા થઈ છે.
જાહેર કરાનારા માર્ગની અંદર રહીને બિનહિસાબી સંપતિની જાણકારી આપવામાં આવે તો તે માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એકટ (પીએમએલએ) હેઠળ કામગીરી ચલાવાશે કે કેમ તે અંગે કંપનીઓ તથા વ્યક્તિઓમાં સવાલ ઊભા થઈ રહ્યા છે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

સોલાર પાવરના દરો ડોલર સાથે જોડવા સામે પાવર કંપનીઓનો વિરોધ

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

સોલાર પાવરના દરો ડોલર સાથે જોડવા સામે પાવર કંપનીઓનો વિરોધ

નવી દિલ્હી, શુક્રવાર
સૌર ઊર્જા ( સોલાર પાવર)ના દરો ડોલર આધારિત કરવાની સરકારની દરખાસ્તનો સરકારના જ ઊર્જા વિભાગમાંથી વિરોધ થઇ રહ્યો હોવાનું આ ક્ષેત્ર સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યુ હતુ.
આ બાબતે ઊર્જા ક્ષેત્રના એક ટોચના અધિકારીએ ઓળખ નહીં આપવાની શરતે જણાવ્યુ હતું કે સોલાર પાવર માટે ડોલર આધારિત વીજ દરો નક્કી કરવાથી થનારા નુકસાન સામે હેજ (આર્થિક ઉપાય) કરવા નો ખર્ચ મોટો આવશે.  વીજ વિતરણ કંપનીઓ ભારતીય રૃપિયામાં પેમેન્ટ કરશે, ગ્રાહકો તેમના બિલ રૃપિયાના ચલણમાં ભરશે પણ તમારૃ પેમેન્ટ ડોલરમાં થશે. આ બાબત કોઇ તાલમેલ ધરાવતી નથી, એમ તેમણે જણાવ્યુ હતુ.
જો તમે સાતથી દસ વર્ષ માટે પણ હેજ કરો તો તે માટે વર્ષે સાતથી આઠ ટકાનો ખર્ચ આવે, તેથી આ ટ્રાન્ઝેક્શનને હેજ કરવાવ્યવહારૃ નથી, એમ તેમણે જણાવ્યુ હતુ.
 રૃપિયા અને ડોલરના વિનિમય દરમાં વર્ષે ૩ ટકાના સંભવિત ફેરફાર ઉપર સરકાર આધાર રાખી રહી છે. પણ કંપનીઓ આ દાવા સામે સવાલ ઉઠાવતાં કહે છે કે પહેલા બે વર્ષમાં તે આઠ ટકા રહે  અને પછી ફ્લેટ થાય તો પાવર ટ્રેડરો કેશ નેગેટિવ બની જશે.  સરકાર જો આ સમસ્યાનો ઉકેલ સત્વરે નહીં લાવે તો વર્ષ ૨૦૨૨ સુધીમાં સૌર ઊર્જાની સ્થાપિત ક્ષમતા હાલની ૩૭૪૫ મેગા વોટથી એક લાખ મેગા વોટ સુધી લઇ જવાની સરકારની  મહત્ત્વાકાંક્ષી યોજના અધવચ્ચે જ પડી ભાંગશે કારણકે વિવિધ રાજ્યોની સરકાર હસ્તક વીજ વિતરણ સંસ્થાઓને ડોલરના વિનિમય દર હેઠળ સૌર ઊર્જા લેવી પરવડશે નહીં,
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Thursday 4 June 2015

ભારતમાં આયાતનું માળખું અત્યંત જટિલ હોવાનો WTOનો મત

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

ભારતમાં આયાતનું માળખું અત્યંત જટિલ હોવાનો WTOનો મત

દેશનું સરેરાશ સામાન્ય શુલ્ક ૧૩ ટકા વધ્યું, જે પાછલા વર્ષે ૧૨ ટકા હતું

નવી દિલ્હી, ગુરુવાર
એનડીએ સરકાર કોઈ પણ સંજોગોમાં વિકાસદર વધારવા માટે પ્રયત્નશીલ હોવાથી ઘરઆંગણે ઉત્પાદનથી લઈને આયાત-નિકાસનું સંતુલન કરવા પણ પ્રયત્નશીલ છે. હાલ ભારત પોતાની સરહદી કરવેરા પ્રક્રિયાઓને પણ બને એટલી સરળ કરવા માટે પ્રયાસ કરી રહ્યું છે. જોકે, હજુયે ભારતનું આયાતનું માળખું અત્યંત જટિલ હોવાનો વિશ્વ વેપાર સંસ્થા (વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન)એ દાવો કર્યો છે.
વિશ્વ વેપાર સંસ્થાના મતે, ભારતે વર્ષ ૨૦૧૧માં સીમા શુલ્ક તરીકે ઓળખાતા કરવેરાનું સેલ્ફ એસેસમેન્ટ શરૃ કર્યું હતું. આ દરમિયાન આશરે ૯૭.૬ ટકા આયાત જોખમી પ્રક્રિયાને અનુસરીને કર્યું હતું એવું માલુમ પડયું હતું. જિનીવાના બહુપક્ષીય સંગઠને કહ્યું છે કે, આ બધી પ્રક્રિયા પછીયે ભારતનું આયાતનું માળખું અત્યંત જટિલ છે, જેમાં અનેક પ્રકારની છુટછાટની વ્યવસ્થા છે.
આ અહેવાલમાં જણાવ્યાનુસાર, ભારત પોતાની બૌદ્ધિક સંપદા પ્રણાલીને આધુનિક બનાવવા માટે પહેલેથી જ પ્રયત્નશીલ છે. તેમાં કહેવાયું છે કે, ભારતનું સરેરાશ શુલ્ક વર્ષ ૨૦૧૪-૧૫માં વધીને ૧૩ ટકા થઈ ગયું હતું, જે વર્ષ ૨૦૧૦-૧૧માં ૧૨ ટકા હતું. આ ઉપરાંત ભારતની કરવેરાને લગતી છુટછાટનો લાભ લેવા મોરેશિયસના માર્ગે રોકાણ આવી રહ્યું છે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/