સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday 22 February 2017

બોગસ બિલિંગ દ્વારા વેટકચેરીને છેતરનાર જિજ્ઞોશ મહેતાની ધરપકડ - આવકવેરાની નોટિસનો જવાબ ન આપનાર કરદાતાની કઠણાઈ વધશે

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

બોગસ બિલિંગ દ્વારા વેટકચેરીને છેતરનાર જિજ્ઞોશ મહેતાની ધરપકડ

-ઘી વાળા, ઘંટી ચલાવનારાઓના ઓળખના પુરાવાઓ મેળવી તેમના નામે પેઢીઓની નોંધણી કરાવી ગરબડ કરી

(પ્રતિનિધિ તરફથી)    અમદાવાદ,તા.22 ફેબ્રુઆરી 2017, બુધવાર

દૂધવાળા, સાયકલ રિપેરર, ઘી વાળા અને ઘંટી ચલાવનારાઓને બૅન્કની લોન અપાવવાને બહાને તેમની પાસેથી ઓળખના પુરાવાઓ મેળવી તેમને નામે જુદી જુદી કંપનીઓ ઊભી કરીને વેટ રજિસ્ટ્રેશન મેળવીને બિલિંગના માધ્યમથી વેટ કચેરી સાથે છેતરપિંડી કરનાર જિજ્ઞોશ સુમતિલાલ મહેતાને અમદાવાદના સીઆઈડી ક્રાઈમના અધિકારીઓએ અટકમાં લીધો હતો. જિજ્ઞોશ મહેતા ૧૫ વર્ષથી સેલ્સટેક્સ પ્રેક્ટિશનર તરીકે કામ કરે છે.

જિજ્ઞોશ મહેતાએ રૃા.૧૦૭૨ કરોડના બોગસ બિલ ઇશ્યૂ કરીને તેને આધારે ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હોવાનું જાણવા મળે છે. પોલીસની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે અન્ય વેપારીઓને રૃા.૫૪.૭૮ કરોડની ખોટી વેરાશાખ અપાવડાવી છે. તદુપરાંત રૃા.૧૦૩૪.૫૮ કરોડની ખરીદીઓ બતાવીને રૃા.૪૫.૫૧ કરોડની ખોટી વેરાશાખ મેળવી હોવાનું બહાર આવ્યું છે.

આર્થિક ગુના નિવારણ શાખા-સીઆઈડી ક્રાઈમને અધિકારી એમ.એમ. સોલંકીએ આજે આપેલી એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે જિજ્ઞોશ મહેતાએ આ રીતે અંદાજે ૪૦ જેટલી કંપનીઓના રજિસ્ટ્રેશન કરાવ્યા છે. આ કંપનીઓના બિલ બનાવીને વાસ્તવમાં માલની કોઈપણ લેવડદેવડ કર્યા વિના બોગસ વેરા શાખ એટલે કે ગેરકાયદે ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઈને કૌભાંડ આચરવામાં આવ્યું છે.

અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે વાણિજ્યિક વેરા કચેરીમાં રજિસ્ટ્રેશન ધરાવતા અન્ય વેપારીઓને વેરાશાખ મળી રહે તે માટે વેચાણના બિલો બનાવીને આભાસી ખરીદવેચાણને વાસ્તવિક ખરીદવેચાણમાં ખપાવીને ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટે તેણે સી ફોર્મ, એફ ફોર્મ અને એચ ફોર્મનો પણ દુરુપયોગ કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
જિજ્ઞોશ મહેતાએ ખોટા દસ્તાવેજો ઊભા કરીને સાચા તરીકે ખપાવીને રૃા.૧૦૭૨.૯૧ કરોડના બિલ ઇશ્યૂ કર્યા હોવાનું આર્થિક ગુના નિવારણ શાખાના પોલીસ અધિકારીઓની તપાસમાં બહાર આવ્યું છે.
 
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/ahmedabad-mehta-was-arrested-by-the-bogus-billing-jijnosa-vetakacerine-deceiver

આવકવેરા વિભાગમાં TDS જમા ન કરાવનાર ૮૫૦થી વધુ કંપનીઓને નોટિસ

- કર્ણાટક અને ગોવાની કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી

- કંપનીઓએ કર્મચારીઓ, પ્રોફેશનલો, કોન્ટ્રાકટરો પાસેથી વસૂલેલો TDS આઇટીમાં જમા કરાવ્યો નથી
- નિયમ અનુસાર કંપનીઓને TDS કાપ્યાના સાત દિવસમાં રકમ જમા કરાવવાની હોય છે

(પીટીઆઇ)    બેંગાલુરુ, તા. ૨૨ બુધવાર, ફેબ્રુઆરી 2017
આવકવેરા વિભાગે ટીડીએસ ન જમા કરાવવા બદલ ગોવા અને કર્ણાટકની ૮૫૦થી વધુ  કંપનીઓને નોટિસ મોકલી છે.
આવકવેરા વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે કર્મચારીઓ, પ્રોફેશનલો, કોન્ટ્રાકટરો અને અન્ય પાસેથી ટીડીએસ કાપીને આવકવેરા વિભાગમાં આ રકમ જમા કરાવવામાં વિલંબ કરનાર કંપનીઓ સામે આવકવેરા વિભાગે ટેક્સ દાખલ કર્યો છે.

આવકવેરા વિભાગે એક નિવેદનમાં જણાવ્યું છે કે કુલ ૮૫૯ શો કોઝ નોટીસ ફટકારવામાં આવી છે. જેમાં કર્ણાટક તથા ગોવાનાં ખાનગી એકમો, સરકારી એજન્સીઓ અને જાહેર સાહસોનો સમાવેશ થાય છે. ૪૮ કેસોમાં તપાસની મંજૂરી આપી દેવામાં આવી છે અને સ્પેશિયલ ઇકોનોમિક ઓફેનસ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે.

૨૨૩ કેસમાં ટીડીએસ કાપનાર કંપનીએ ટેક્સની રકમ જમા કરાવીને ગુનો માંડવાળ કરવાની અરજી કરી છે. જો કે તેઓ વ્યાજ અને દંડ ચૂકવવા તૈયાર નથી.

આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર દેશના અન્ય ભાગોમાં પણ ટૂંક સમયમાં આવી જ કાર્યવાહી શરૃ કરવામાં આવશે.
દિલ્હીમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ(સીબીડીટી)ના ચેરમેન સુશીલ ચંદ્રાએ તાજેતરમાં જ વિભાગના કાર્યાલયોને પત્ર લખી ટીડીએસ નહીં જમા કરાવનાર કંપનીઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

કંપનીઓ દ્વારા ગયા વર્ષની સરખામણીમાં ૧૫ ટકા ઓછી રકમ જમા કરાવવામાં આવી છે. નિયમ અનુસાર કર્મચારી પાસેથી ટીડીએસ કાપી લીધાના સાત દિવસની અંદર કંપનીએ આ રકમ આવકવેરા વિભાગમાં જમા કરાવવાની હોય છે.

આ નિયમનો ભંગ કરનારને વ્યાજ અને દંડ ભરવો પડે છે અને આવકવેરા કાયદો, ૧૯૬૧ની કલમ ૨૭૬બી હેઠળ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે. ટીડીએસ કેટેગરી હેઠળ ૩૧ જાન્યુઆરી, ૨૦૧૭ સુધીમાં આવકવેરા વિભાગને ૨.૮૫ લાખ કરોડની આવક થઇ છે.


Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/performing-the-tds-tax-deposit-notices-section-of-more-than-850-companies

આવકવેરાની નોટિસનો જવાબ ન આપનાર કરદાતાની કઠણાઈ વધશે

-નોટબંધી પછી ખાતામાં પૈસા જમા કરાવનારા કરદાતાઓ પર ત્રાટક

-નોટબંધી પછી બચત ખાતામાં રદ થયેલી ચલણી નોટ્સ જમા કરાવનારાઓએ જવાબ નહિ આપ્યો હોય તો ટેક્સ ને દંડ વસૂલ

અમદાવાદ,તા.22 ફેબ્રુઆરી 2017, બુધવાર

નોટબંધી પછી બચત કે કરન્ટ એકાઉન્ટમાં રદ થયેલી ચલણી નોટ્સ જમા કરાવનારા કરદાતાઓને આવકવેરા ખાતા દ્વારા આપવામાં આવેલી નોટિસનો સંતોષકારક જવાબ ન આપનારા કરદાતાઓના ખુલાસાને અસ્વીકાર્ય ગણીને તેમની પાસેથી ટેક્સ અને દંડ વસૂલવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવશે.

આ કેટેગરીમાં આવતા કરદાતાઓને આવકવેરા ખાતા તરફથી રિમાઈન્ડર અને રિક્વેસ્ટ આવી હોવા છતાંય જો તેનો ઓનલાઈન પ્રતિભાવ ન આપનારા કરદાતાઓના આવકવેરાના રિટર્નમાંથી અને એન્યુઅલ ઇન્ફોર્મેશન રિપોર્ટમાંથી આવકવેરા ખાતું તેમની આવકને લગતી વિગતો એકત્રિત કરી લેશે. આ માટે જરૃર પડયે તેઓ ત્રાહિત વ્યક્તિ પાસેથી પણ વિગતો મેળવી લઈને આવકવેરા ખાતું કાર્યવાહી કરશે. તેમ જ તેમની બૅન્ક ખાતાનો સંપૂર્ણ રૅકોર્ડ તપાસીને તેમણે ન દર્શાવેલી આવકને છુપાવેલી આવક ગણીને તેના પર દંડ અને ટેક્સ વસૂલ કરવામાં આવશે.

આ પ્રકારના કોઈકોઈ કેસમાં સર્વે એટલે કે આવકવેરા ખાતાના અધિકારીઓ કરદાતાના ઘરે જઈને કે ઑફિસે જઈને તપાસ પણ કરશે. આ તપાસ દરમિયાન તેમને જાણવા મળશે કે ખાતામાં જમા કરાવવામાં આવેલી રકમ ત્રાહિત વ્યક્તિની હતી તો તેવા કિસ્સાઓમાં ત્રાહિત વ્યક્તિના ઘરે જઈને પણ તપાસ કરવામાં આવશે. તેમ જ ત્રાહિત વ્યક્તિ સામે પણ કાયદેસર લઈ શકાતા પગલાં લેવામાં આવશે.
સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસે કરેલી આ વ્યવસ્થાને ધ્યાનમાં લેતા નોટબંધી પછી જે કરદાતાઓએ તેમના બચત ખાતામાં રોકડથી રદ થયેલી ચલણી નોટ્સ જમા કરાવી હોય અને આવકવેરા ખાતા તરફથી તેમને નોટિસ આપવામાં આવી હોય તો તેવા સંજોગોમાં તેમણે આવકવેરાની વેબસાઈટમાં લોગ ઇન કરીને કૅશ ટ્રાન્ઝેક્શનના વિભાગમાં જઈને તેમના બૅન્કના વહેવારો અંગે ખુલાસાઓ કરી દેવા જરૃરી છે.


Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/ahmedabad-income-of-the-taxpayer-will-not-notice-probe
 
Source :-http://gujaratsamachar.com
Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/