સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 25 October 2016

* Happy New Year * & * Happy Diwali *

Source :-http://gujaratsamachar.com
Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Thursday 20 October 2016

GSTના દરોની જાહેરાત ૨૦મીએ થવાનો સંકેત - GSTમાં સેસ લાગુ કરવાની હિલચાલ સામે વિરોધ

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

GSTના દરોની જાહેરાત ૨૦મીએ થવાનો સંકેત

- જે રાજ્યો સામેલ નહીં થાય તે તેમની કરવસુલી માટેની સત્તા ગુમાવશે


મુંબઈ,મંગળવાર ૧૮ ઓક્ટોબર ૨૦૧૬

રાજ્યકક્ષાના નાણા પ્રધાન અર્જુનરામ  મેઘાવલજીએ  ફામ (ફેડરેશન ઓફ એસોશિએશન ઓફ મહારાષ્ટ્ર)આયોજીત એક સંરંભમાં  જણાવ્યું હતું કે સરકાર દ્વારા જીએસટીના દરોની જાહેરાત તારીખ ૨૦ ઓકટોમ્બરે જાહેર થવાની શક્યતા છે તેમ જણાવી વધુમાં ઉમેર્યું હતું કે જે રાજ્યો સામેલ નહીં થાય તે તેમની કરવસુલી માટેની સત્તા ગુમાવશે.

જીએસટી એ ભારતની એક દેશ-એક કર, એક બજાર ભણી દોરનારું મહત્વનું પરિબળ બનશે જે વેપારી દ્વારા ભોગવાતી આંતરરાજ્ય માલ-સામાનની હેરાફેરી માટેની મુશ્કેલીઓ દુર કરશે. વળી જીએસટી માટે જીએસટી નેટવર્ક ઉભુ કરાયું છે જેના અંતર્ગત જીએસટી  સંબંધી માહિતી, તે માટેના રિટર્ન ભરવાની, ચૂકવણીની, રિફંડની કાર્યવાહી માટે સરકાર ખાસ વ્યવસ્થા ઊભી કરશે. જે વેપારીઓને આ માટેની સેવા નિશુલ્ક આપશે.

આજથી શરૃ થયેલી જીએસટીની કાઉન્સિલની બેઠક જે ત્રણ દિવસ ચાલવાની છે તેમાં જીએસટી  માટેના કરમાળખાની વિચારણા કરાઈ તેની જાહેરાત કરાશે. તેમજ સીજીએસટી, આઈજીએસટી અને એસજીએસટી સંબંધિત રૃપરેખા તૈયાર કરાશે.

મેઘાવલજીના જણાવ્યા પ્રમાણે જે રાજ્ય જીએસટીનો વિરોધ કરશે તે જીએસટીના અમલ બાદના એક વર્ષ પછી તેનો કર વસુલાત માટેનો હક્ક ગુમાવશે. આ વખતના જીએસટીમાં એક દેશ-એક કરને સાર્થક કરવા તેના અમલ માટે જમ્મુ એન્ડ કાશ્મીરને પણ આવરી લીધું હોવાની તેમણે સ્પષ્ટતા કરી હતી.

ફામ વતી બોલતા વિનેશ મહેતાએ જણાવ્યું હતું કે આજે ભારતમાં વેપારીઓને વિશ્વાસમાં લઈ સરકારે તેમને પ્રોત્સાહક બને તેવી નીતિ ઘડવાનું જરૃરી બન્યું છે. વેપારીઓ જ મોટા ભાગની કરવસુલાત કરતા હોઈ તેઓ સરકારનું જ કાર્ય કરતા હોઈ તેમને વિશેષ દરજ્જો મળવો જોઈએ. ફામ હવે ડિજીટલ બન્યું હોઈ તેની બધી જ ગતિવિધી હવેથી ઓનલાઈન કરવાની શરૃઆત કરાઈ છે.

શેર બજારોમાં રવિવાર ૩૦,ઓકટોબરે

- દિવાળી લક્ષ્મી પૂજનનું મૂહુર્ત ટ્રેડીંગ સત્ર યોજાશે

શેર બજારોમાં દિવાળી લક્ષ્મી પૂજનના ઈક્વિટી સેગ્મેન્ટમાં મૂહુર્ત ટ્રેડીંગ સત્ર આ વખતે રવિવાર ૩૦,ઓકટોબર ૨૦૧૬ના સાંજે ૬ : ૩૦ થી ૭ : ૩૦ વાગ્યા દરમિયાન યોજાશે. પ્રિ-ઓપન સત્ર સાંજે ૬ : ૧૫ થી ૬ : ૩૦ વાગ્યે યોજાશે , જ્યારે પોસ્ટ કલોઝિંગ ૭ : ૪૦ થી ૭ : ૫૦ વાગ્યા દરમિયાન થશે, એવું બોમ્બે સ્ટોક એકસ્ચેન્જની યાદીમાં જણાવાયું છે.

Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/business/advertising-rates-of-gst-20-february-to-signal

GSTમાં સેસ લાગુ કરવાની હિલચાલ સામે વિરોધ

- આને કારણે વેરા માળખું ગૂંચવાડાભર્યું બની રહેવાનો ડર


રેકોર્ડ જાળવણી અને આઈટી સિસ્ટમમાં ફેરફાર કરવાના સમયે કંપનીઓ માટે સેસ પડકારરૃપ બની રહેશે  
મુંબઈ,ગુરૃવાર તા.૨૦ ઓક્ટોબર, ૨૦૧૬
ગુડસ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી)માં વેરા ના ઊંચા દરને ઉદ્યોગો સ્વીકારવા તૈયાર છે પરંતુ સેસને તેઓ યોગ્ય ગણતા નથી. સેસ એ નોન-ક્રેડિટેબલ પ્રકારના હોય છે. ઉદ્યોગો સેસને આવકારશે નહીં. ઉદ્યોગો વેરાના ઊંચા દરને સ્વીકારવા તૈયાર થશે જેથી ઈનપુટ ટેક્સ ક્રેડિટની સાંકળ તૂટે નહીં  અને આ આડકતરા વેરાની સંપૂર્ણ પદ્ધતિ ઓછી  ગૂંચવણભરી બની રહે એમ એક વેરા નિષ્ણાતે જણાવ્યું હતું.
સેસ લાગુ કરવાનો વિચાર અયોગ્ય છે કારણ કે આનાથી જીએસટીનું માળખું વધુ ગૂંચવાડાભર્યું બની રહેશે. સેસ લાગુ કરવાથી તેની બહુગણી અસર પડશે અને જીએસટીના એકંદર માળખાને  જટિલ બનાવી દેશે એમ એક વેરા પેઢીના સંચાલકે જણાવ્યું હતું. આના કરતા જીએસટીનો ઊંચા દર એક સારો ઉપાય સાબિત થશે.
અત્યારસુધી સરકારે ઉદ્યોગો તથા વેરા નિષ્ણાતો  સાથેની દરેક બેઠકમાં  જીએસટી પદ્ધતિમાં સેસ તથા સરચાર્જને ભેળવી દેવાશે એવી વાતો કરી છે અને જીએેસટી સંબંધિત બહાર પડાયેલા દરેક દસ્તાવેજોમાં પણ આવો ઉલ્લેખ થયો છે.
રેકોર્ડ જાળવણી અને આઈટી સિસ્ટમમાં ફેરફાર કરવાના સમયે કંપનીઓ માટે સેસ પડકારરૃપ બની રહેશે એમ એક ઔદ્યોગિક સંગઠનના અધ્યક્ષે જણાવ્યું હતું.
જો કે સેસ ઊંચા વેરા દર પર લાગુ કરવા વિચારાઈ રહ્યું છે અને બહુ ઓછી આઈટેમ્સને ઊંચા વેરા દર હેઠળ આવરી લેવાની યોજના હોવાથી સેસની વ્યાપક અસર જોવા નહીં મળે એવો પણ એક મત વ્યકત થઈ રહ્યો છે. ૧લી એપ્રિલથી લાગુ થનારી જીએસટી પદ્ધતિમાં દેશના વિવિધ રાજ્યોને આપવાના થતાં નાણાંની જોગવાઈ કરવા જીએસટીના ઊંચા દરમાં સેસનો સમાવેશ કરવા સરકાર વિચારી રહી છે.

Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/business/vepar-cess-in-protest-against-the-move-to-gst
 
Source :-http://gujaratsamachar.com
Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/