સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 24 November 2015

આજે કૃતિકા નક્ષત્રમાં દેવદિવાળી રાજયોગ, સિદ્ધિયોગ અને કુમારયોગનો સંયોગ

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

આજે કૃતિકા નક્ષત્રમાં દેવદિવાળી રાજયોગ, સિદ્ધિયોગ અને કુમારયોગનો સંયોગ


હિન્દુ સમુદાયનું સૌથી મોટું પર્વ એવા દિવાળીની રંગેચંગે ઉજવણી બાદ ર્ધામિક માન્યતા પ્રમાણે ભારે મહાત્મ્ય ધરાવતી દેવદિવાળીની બુધવારે ઉત્સાહભેર ઉજવણી થશે. દેવઊઠી અગિયારસથી દેવદિવાળી સુધી ભારે મહત્ત્વ ધરાવતા તુલસીવિવાહની પણ સમાપ્તિ થશે. બીજી બાજુ સિંધી સમુદાયમાં ગુરુનાનક દેવજીની 547મી જન્મજયંતીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે. જ્યારે જૈન સમુદાયમાં ચાર મહિના વ્યાખ્યાન, શિબિરના દોર બાદ હવે દેવદિવાળીની સાથે જ ચાતુર્માસની પૂર્ણાહુતિ થશે. જેને લઇને જૈનસંઘોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

બુધવારે સંવત 2072ની કારતક સુદ પૂનમે દેવદિવાળી છે. સૂર્યોદય વખતે સવારે 7.39 કલાક સુધી ચૌદશ બાદ પૂનમ શરૃ થશે. આ દિવસે રાજયોગ, સિદ્ધિયોગ અને કુમારયોગ બને છે. કૃતિકા નક્ષત્ર અને મેષ-વૃષભના ચંદ્રમાં દેવદિવાળી મનાવવામાં આવશે. જે રીતે દિવાળીના દિવસે મનુષ્ય લોકમાં સૌ દિવાળી ઉજવીએ છીએ તેમ કારતક સુદ પૂર્ણિમાના દિવસે દેવલોકમાં પણ દિવાળી ઉજવવામાં આવે છે. દેવઊઠી અગિયારસથી દેવદિવાળી સુધી તુલસી વિવાહનું પણ મહત્ત્વ છે. જેમની જન્મકુંડળીમાં લગ્નમાં વિલંબ થવાના યોગ હોય, બે લગ્ન થવાના યોગ હોય, વિવાહ થઇને તૂટવાના યોગ હોય ત્યારે શાસ્ત્રમાં તુલસીવિવાહનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. આ દિવસે પુષ્કરમાં મેળો ભરાઇ છે. સૃષ્ટિના સર્જનકર્તા ભગવાન બ્રહ્માજીની પૂજાનું પણ વિશેષ મહત્ત્વ છે. સાથે સાથે આ દિવસે જ ગુરુનાનક જયંતી હોવાથી દેવદિવાળીનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે. સંપૂર્ણ કારતક મહિનાનું સ્નાન પણ આ દિવસે પૂર્ણ કરવામાં આવે છે. ધર્મશાસ્ત્ર પ્રમાણે કારતક સુદ પૂનમના દિવસે ગંગાસ્નાન અને દીપદાનનું પણ મહત્ત્વ છે.

ગુરુનાનક જયંતીને લઇને પ્રભાતફેરી, અખંડ પાઠ, લંગર સાહેબનું આયોજન
સિંધી સમુદાયના ગુરુસમા ગુરુનાનક દેવજીની 547મી જન્મજયંતીની બુધવારે ધામધૂમથી ઉજવણી કરાશે. દરમિયાન સિંધી સમુદાયના વિવિધ મંડળો દ્વારા પ્રભાતફેરી, અખંડ પાઠ, લંગર સાહેબ સહિતનું આયોજન કરાયું છે. ઝુલેલાલ મંદિરોમાં દિવસભર વિવિધ કાર્યક્રમો બાદ સાંજે લંગર સાહેબ, પૂજા-અર્ચના સાથે જ જયંતીની ઉજવણી સમાપ્ત થશે. જ્યોતિષાચાર્ય ડો. મહેશ દશોરાએ જણાવ્યું હતું કે, ગુરુનાનક દેવજીનો જન્મ 15 એપ્રિલ 1469ના રોજ તલવંડી રાયભોય નામના સ્થળે થયો હતો. તલવંડી પાકિસ્તાનના લાહોર જિલ્લાથી 30 માઇલ દક્ષિણ-પશ્ચિમમાં આવ્યું છે. એમની જન્મકુંડળીમાં ઉચ્ચ રાશિનો સૂર્ય, ઉચ્ચ રાશિનો ચંદ્ર, ઉચ્ચ રાશિનો ગુરુ, ઉચ્ચ રાશિનો શુક્ર સંપૂર્ણ જગતને સમૃદ્ધ જીવન જીવવાનું સૂચવે છે.

જૈન ધર્મમાં પણ દેવદિવાળીનું આધ્યાત્મિક દૃષ્ટિએ ભારે મહત્ત્વ
પંન્યાસ પ્રવર પદ્મદર્શન મહારાજે જણાવ્યું હતું કે, ચાતુર્માસ પર્વનું જૈન શાસનમાં ઘણું મહત્ત્વ છે. ચાર મહિના સુધી સંતો ધર્મની વાણી દ્વારા લોકમાનસનું પરિવર્તન કરે છે. પ્રભુની વાણી દ્વારા સમગ્ર જનતા જનાર્દનનું જીવન પરિવતર્ન થતું હોય છે. દેવદિવાળીએ ચાર મહિના પૂર્ણ થતા જ સંતોનું વિચરણ શરૃ થાય છે. ર્કાતિકી પૂર્ણિમાનું મહત્ત્વ પણ અદકેરું છે. શત્રુંજય તીર્થની યાત્રા માટે આજના દિવસે હજારો લોકો જાય છે. આ સિવાય ચાતુર્માસ પરિવર્તન થશે. વિવિધ સંઘોમાં તપસ્વીઓના સન્માન, ચાતુર્માસ પરિવર્તન સમારોહ સહિતનું આયોજન થશે. બીજી બાજુ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક મહાસંઘના સાંનિધ્યમાં આચાર્ય ડો. શિવમુનિ સહિતના સંતોનો ચાતુર્માસ પરિવર્તન સમારોહ સવારે 9 કલાકે ઘોડદોડ રોડ સમવસરણ ખાતે યોજાશે.
Source :-http://www.gujaratsamachar.com
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/