સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Sunday 20 November 2016

નોટબંધીથી બે વર્ષ સુધી આર્થિક મંદી રહેવાના એંધાણ - ખરીદ શક્તિ ઘટી : શાકભાજી બગડી જતાં ફેંકી દેવાની નોબત

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

નોટબંધીથી બે વર્ષ સુધી આર્થિક મંદી રહેવાના એંધાણ

- નાના વેપારીઓ, દુકાનદારો, ખેડૂતો, હીરા તેમજ ગ્રામીણ ઉદ્યોગને માઠી અસર

- બેરોજગારીનું પ્રમાણ વધશે

મહેસાણા, તા. 20 નવેમ્બર 2016 રવિવાર

સરકારે રૃા. ૫૦૦, ૧૦૦૦ની નોટબંધી કરતાં છેલ્લા ૧૨ દિવસથી પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે. આજે રવિવારે બેંકોમાં રજા હતી પરંતુ એસ.બી.આઈ.ના એટીએમમાંથી રૃા. ૨૫૦૦ નીકળતાં ગ્રાહકોએ એટીએમ દ્વારા નાણાં મેળવ્યા હતા. છેલ્લા ૧૨ દિવસથી ચાલતા નોટોના રમખાણમાં આમ પ્રજા, વેપારી અને ધંધા રોજગારને હાલમાં માઠી અસર થઈ છે. જોકે મોદીનો નિર્ણય ભવિષ્ય માટે ખુબજ સારો છે પરંતુ હાલમાં બંધ કરેલ નોટો માટે લોકો અને અર્થશાસ્ત્રીઓમાં ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.

સર્જિકલ સ્ટ્રાઈકની વાહવાહ કરનારાઓની  અર્થશાસ્ત્રીઓના મતે   કાળાબજારીયા, ભ્રષ્ટ નેતાઓ, ભ્રષ્ટ ્ધિકારીઓ કે બિલ્ડરો પાસે ખોવા જેવું કશું જ નથી. તેમની પાસે લાખોની મિલકતો છે, જમીન છે, કદાચ ઘરમાં પડેલા કાળા નાણાંના બંડલોનો કચરો થશે તો પણ તેમના પેટનું પાણી નહીં હલે.

અર્થશાસ્ત્રીના જાણકારોના કહેવા મુજબ ભારતમાં ઓછામાં ઓછી બે વરસ મંદી રહેશે. નાના વેપારી, દુકાનદારો, હીરા ઉદ્યોગને માઠી અસર થશે. ખેડૂતો અને ગ્રામીણ ઉદ્યોગને ભારે અસર થશે. બેરોજગારી પણ વધશે.

૫૦૦ અને ૧૦૦૦ની નોટ બંધ કરવાને બદલે બેઈમાન પાંચ-દસ લાખ ભ્રષ્ટ અને તેમની મિલકતો, ફાર્મ હાઉસો, સગા સંબંધીઓના નામની બેનામી સંપતિ બેંકોમાં અને લોકરોમાં પડેલ કિંમતી વસ્તુઓ ટાંચમાં લેવાની  જરૃર હતી. બે પાંચ લાખ બેઈમાન લોકોને સીધા કરવા લાખો ઈમાનદાર લોકોને લાઈનોમાં ઉભા કરી દીધા છે.

શહેરોમાં થતી ચર્ચા મુજબ મોદી તેમની સામે ઉભા થતા અવરોધો અને વિરોધો પરથી ધ્યાન હટાવવા આવા સનસની ખેલ પાર પાડે છે.

બીજી એવી પણ ચર્ચા થઈ રહી છે કે યુપીની ચૂંટણી હોવાથી કોઈ પણ ભોગે બીજેપી જીતવુ પડે, કારણ કે રાજ્યસભામાં તેમના પક્ષને બહુમતી કરવી હોય તો યુપીનું ઈલેક્શન જીતવું જ પડે અને યુપીના ઈલેક્શનમાં ટીકીટો આપવાથી લઈને મતદારોને રીઝવવા બેફામ નાણાંનો ઉપયોગ થાય છે. પાર્ટીઓને આર્થિક કંગાળ બનાવી દેવાય તો જ ચૂંટણી જીતી શકાય. આ એક છુપો એજન્ડા પણ નોટો રદ કરવા પાછળનો હોઈ શકે છે.
 
 
Source:-http://gujaratsamachar.com/index.php/articles/display_article/north-gujarat/north-gujarat-notabandhithi-portend-a-likely-economic-slowdown-for-two-years-november-

ખરીદ શક્તિ ઘટી : શાકભાજી બગડી જતાં ફેંકી દેવાની નોબત

- નોટબંધીની અસર

- ખરીદીમાં ૫૦ ટકાથી પણ વધુનો કાપ : રીંગણ, ટામેટા અને દૂધી કચરાપેટીમાં ફેંકી દેવાયા

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 20 નવેમ્બર, 2016, રવિવાર
 
સુરતમાં જુની નોટોના કકળાટ વચ્ચે માર્કેટમાં શાકભાજી ખરીદનારાઓ ઘટી જતાં વેપારીઓએ ખરીદેલા શાકભાજી ટામેટા, રીંગણા, દૂધી બગડી જતાં કચરા પેટીમાં ફેંકી દેવાની નોબત આવી હતી.
 
રૃા.૫૦૦-૧૦૦૦ની નોટો રદ કરાયા બાદ માર્કેટમાં રૃપિયાની તંગી સર્જાતા ગૃહિણીનું બજેટ ખોરવાઇ ગયું છે. છુટા પૈસા નહીં મળતા લોકોએ ખરીદી પર ભારે કાપ મુકી દીધો છે. ગરીબ-મધ્યમ વર્ગ પાસે પુરતા રૃપિયા નહીં હોવાથી પહેલા જે ખરીદ શકિત હતી તે ઘટી ગઇ છે.
 
અને જરૃરિયાત હોઇ તેના કરતાં પણ ઓછું ખરીદી જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે. આ કારણે માર્કેટમાં ખરીદી ઘટી જતાં સીધી અસર વેપારીઓ પર પડી છે. એપીએમસી માર્કેટની બહાર પાલિકાની કચરા પેટીમાં શાકભાજીના ઢગલાને ઢગલા ફેંકી દેવાયા છે. જેમાં ખાસ કરીને રીંગણા, ટામેટા અને દૂધી છે. 
 
વેપારીના જણાવ્યા મુજબ દરરોજ જે ખરીદી થતી હતી તેના કરતા હાલમાં અડધી કરતા પણ ઓછી ખરીદી થાય છે. રૃપિયાના અભાવે કોઇ ખરીદવા આવતા નથી.અને જે જુની નોટ લઇને આવે તેને શાકભાજી આપતા નથી. શાકભાજી બગડી જતાં ફેંકી દેવાની નોબત આવે છે. સામાન્ય માણસ માટે મુશ્કેલી ઉભી થઇ હોવાથી અમને પણ નુકસાન થઇ રહ્યું છે.

Source:-http://gujaratsamachar.com/index.php/articles/display_article/surat/surat-vegetables-thrown-over-bad-debts
 
Source :-http://gujaratsamachar.com
Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

2 comments: