સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday 4 February 2015

વાટાઘાટો નિષ્ફળ: 25-28 ફેબ્રુઆરી સુધી સળંગ ચાર દિવસની બેન્ક હડતાળનું એલાન

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

વાટાઘાટો નિષ્ફળ: 25-28 ફેબ્રુઆરી સુધી સળંગ ચાર દિવસની બેન્ક હડતાળનું એલાન

- IBM દ્વારા માત્ર 0.5 ટકાની ઢીલ મૂકાઇ

- વેતનવધારાનો પ્રશ્ન ના ઉકલે તો ૧૬ માર્ચથી અનિશ્ચિત મુદતની હડતાળ

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,મંગળવાર
અપેક્ષાકૃતપણે જ, દેશના માથે બેન્ક હડતાળનું સંકટ તોળાવાની શક્યતા પુનર્જિવિત થઇ છે. આઇબીએ અને બેન્કકર્મીઓના સંગઠનો વચ્ચેની વેતનવધારાના મુદ્દે આજે મુંબઇમાં યોજાયેલી વાટાઘાટો પડી ભાંગી છે. બેઠક છોડી ગયેલા કર્મચારી સંગઠનોના નેતાઓએ આગામી તા.૨૫-૨૮ ફેબુ્રઆરી, દરમિયાન સળંગ ચાર દિવસની જ્યારે એ પછી તા.૧૬ માર્ચથી અનિશ્ચિત મુદતની બેન્ક હડતાળનું એલાન આપ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, દેશના લાખો બેન્કકર્મીઓની વેતન સુધારણા કરારની મુદત સવા બે વર્ષ અગાઉ એટલે કે તા.૩૧ ઓક્ટોબર, ૨૦૧૨ ના રોજ પુરી થઇ છે, પરંતુ તત્કાલીન યુપીએ સરકારે બેન્કરોના વેતન સુધારણાની નિયત કામગીરી નિયત સમયે કરી નહિ, પરિણામે ગત મે માસમાં કેન્દ્રમાં નવી આવેલી યુપીએ સરકારને એક વધુ જવાબદારી વારસામાં ઉઠાવવી પડી.
જો કે નવી સરકારે પણ પુરોગામી શાસક જેવો જ અભિગમ જાળવી રાખ્યો, પરિણામે મુદ્તવીતી વ્યાજબી માગણી સંતોષાય એ માટે બેન્કકર્મીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું અલબત્ત, આઇબીએ તરફથી છેલ્લે ૧૨.૫ ટકાનો પે-સ્લીપ કોમ્પોનન્ટ સૂચવાશે, જેને આવકારી જાન્યુઆરી માસની એક દિવસની અને ચાર દિવસની એમ બબ્બે હડતાળના એલાન પાછા ખેંચી લેવાયા હતા.
એ સંદર્ભમાં મુંબઇના કફ પરેડ વિસ્તારમાં આવેલી આઇબીએ કચેરીમાં આઇબીએની ફુલ કમિટી અને યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સના પ્રતિનિધિઓ વચ્ચે યોજાયેલી બેઠક અતિ મહત્વપૂર્ણ હતી. જો કે વાટાઘાટો દરમિયાન આઇબીએએ અગાઉના ૧૨.૫ ટકાના વેતનવધારામાં માત્ર અડધા ટકાના વધારા સાથે એકંદરે ૧૩ ટકા જેટલી વેતનવૃધ્ધિ સૂચવાઇ હતી.
બેંક કર્મચારીઓએ રાખેલા વેતનવધારાની અપેક્ષાએ ૧૩ ટકાનો આ સૂચિત વધારો અત્યંત ઓછો જણાયો હતો. આથી નિષ્ફળ નિવડેલી વાટાઘાટોની બેઠક છોડી ગયેલા બેંક કર્મીઓએ આગામી તા.૨૫- ૨૬-૨૭-૨૮ ફેબુ્રઆરી દરમિયાન સળંગ ચાર દિવસની હડતાળ જ્યારે એ પછી જરૃર પડયે તા.૧૬ માર્ચથી અનિશ્ચિત મુદતની હડતાળનું એલાન આપ્યું છે. જો કે આઇબીએએ હજી વાટાઘાટોના બે- ત્રણ રાઉન્ડ યોજવાનો આશાવાદ  વ્યકત કર્યો છે.
સ્પષ્ટ છે દિવસો સુધીની બેંક હડતાળથી દેશનું અર્થતંત્ર ખુબ ખોરવાઇ જશે અને કરોડો ગ્રાહકોએ અત્યંત મુશ્કેલીના દોરમાં રહેવું પડશે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment