સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 19 February 2015

માળખાગત સુવિધા ઊભી કરવા માટે વધુ રૃા.બે લાખ કરોડની જરૃર

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

માળખાગત સુવિધા ઊભી કરવા માટે વધુ રૃા.બે લાખ કરોડની જરૃર

'મેક ઈન ઈન્ડિયા' સહિતના અભિયાન સફળ કરવા તૈયાર કરેલી ૭૫૦માંથી ૩૨૩ મહત્ત્વની યોજન

રૃ. ૧૧.૩૭ લાખ કરોડના અનુમાનિત ખર્ચે તૈયાર અને અમલી થનારી વિવિધ યોજનાઓનો ખર્ચ ૨૦

નવી દિલ્હી, ગુરુવાર
એનડીએ સરકાર દેશમાં વિશ્વ કક્ષાની માળખાગત સુવિધા ઊભી કરવા માગે છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ સપનું ફક્ત સપનું બનીને રહી જાય એવી શક્યતા છે. આ માટે સરકારે રૃ. ૧૫૦ કરોડના અનુમાનિત ખર્ચના આધારે કુલ ૭૫૦ જેટલી અત્યંત મહત્ત્વની માળખાગત યોજનાઓ તૈયાર કરી હતી. જોકે, હવે આ પ્રકારની યોજના માટે વધારાનો રૃ. બે લાખ કરોડનો ખર્ચ થઈ શકે છે. આ યોજનાને આર્થિક સંકડામણમાંથી બહાર કાઢવા માટે સરકારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, નેશનલ હાઉસિંગ બેંક તેમજ ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી સહિતની અનેક સંસ્થાઓના સલાહસૂચન પણ લીધા છે.
સૂત્રોના જણાવ્યાનુસાર, દેશના માળખાગત વિકાસને લગતી યોજનામાં અનુમાન કરતા વધુ ખર્ચ થઈ રહ્યો હોવાથી લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, હુડકો તેમજ ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ  એજન્સી જેવી સરકારી સંસ્થાઓને પણ માળખાગત વિકાસને લગતી યોજનાઓમાં ભાગ લેવા માટે આવકારાયા છે. જોકે, આ યોજનાઓનો ખર્ચ કેમ વધી ગયો એના કારણો ખૂબ જ રસપ્રદ છે.
જેમ કે, જમીનોનું હસ્તાંતરણ મોડું થઈ રહ્યું છે, અનેક જમીનોના કેસ અદાલતોમાં છે, વીજળીના ધાંધિયા છે, બળતણ અને મજૂરો મળતા નથી, જંગલ ખાતાની મંજૂરી મળતી નથી અથવા મોડી મળી રહી છે, નક્સલવાદ પ્રભાવિત વિસ્તારોમાં કાયદાનું શાસન કથળેલું  છે તેમજ અનેક પેટા યોજનાઓ માટે ભંડોળ પણ નથી. આ કારણોસર અનેક સ્થળે કાગળ પર સારી લાગતી યોજનાઓનો વાસ્તવિક અમલ થઈ જ શકતો નથી.  આરબીઆઈની માર્ગદર્શિકા પ્રમાણે, કોઈ પણ યોજનાનો ખર્ચ અનુમાન કરતા વધી જાય ત્યારે લોન લેનારી કંપનીઓ એ યોજના ત્યારે જ ચાલુ રાખી શકે, જ્યારે ખર્ચ અનુમાન કરતા દસ ટકા વધારે થાય. એનો અર્થ એ છે કે, જે યોજનામાં દસ ટકા ખર્ચ વધે તે 'રિસ્ટ્રક્ચર્ડ એસેટ' તરીકે ગણવામાં આવે. આ ઉપરાંત એલઆઈસી, હુડકો અને આઈઆરઈડીએ જેવી સંસ્થાઓ ખર્ચ વધે ત્યારે યોજનામાં ભાગ ના લઈ શકે.
નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે કુલ ૭૪૮ માળખાગત યોજના માટે ઓક્ટોબર ૨૦૧૪માં રૃ. ૧૫૦ કરોડના ખર્ચનું અનુમાન કર્યું હતું. જોકે, હવે ૩૨૩ યોજનામાં વિલંબ થઈ રહ્યો છે. આ યોજનાઓનો અમલ કરવાનો કુલ ખર્ચ રૃ. ૯.૪૯ લાખ કરોડ થવાનો હતો, જ્યારે તેને પૂર્ણ કરવાનો અનુમાનિત ખર્ચ રૃ. ૧૧.૩૭ લાખ કરોડ થવાનો હતો. જોકે, હવે નાણા મંત્રાલયનું કહેવું છે કે, આ ખર્ચ અનુમાનિત ખર્ચથી ૨૦ ટકા વધી ગયો છે. એટલે કે, હવે આ યોજનાઓ પૂરી કરવા માટે વધારાના ૧.૮૮ લાખ કરોડની જરૃરિયાત છે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment