સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday 3 July 2013

'જગન્નાથજી સર્વવ્યાપી છે, બધે જ જઈ શકે છે'

Gayatri Business Solution
Gujarat Samachar News


'જગન્નાથજી સર્વવ્યાપી છે, બધે જ જઈ શકે છે'

ઈન્કમટેક્સ ખાતે પ્રતિભાવ-સહી ઝૂંબેશમાં મુક્ત લોકઅભિપ્રાય

'બાળકોને પ્રભુના દર્શનનો અધિકાર છે'- સૂચિત રથયાત્રા સ્વાગત કમિટી (પશ્ચિમ)ની ઝૂંબેશમાં મહિલાઓની લાગણી
અમદાવાદ, બુધવાર
'ભગવાન જગન્નાથજી સર્વવ્યાપી છે, બધે જ જઈ શકે. તેમની નગરયાત્રાને અમદાવાદમાં ભક્તોની લાગણી મુજબ વિસ્તારવી જોઈએ. રથયાત્રાને નિશ્ચિત વિસ્તાર સુધી સીમિત ન રાખતાં પશ્ચિમ વિસ્તાર સુધી વિસ્તારવી જોઈએ.' આવી લાગણી આજે સેંકડો લોકોએ ઈન્કમટેક્સ ખાતે પ્રતિભાવ અને સહી ઝૂંબેશ દરમ્યાન વ્યક્ત કરી હતી. સૂચિત રથયાત્રા સ્વાગત કમિટી (પશ્ચિમ)ની ઝૂંબેશ અંતર્ગત લોકઅભિપ્રાયમાં તમામ વર્ગના લોકો જોડાયા હતા. ખાસ કરીને મહિલાઓએ એવી લાગણી વ્યક્ત કરી હતી કે, બાળકોને પ્રભુના દર્શનનો અધિકાર છે અને પરંપરા, સંસ્કૃતિની જાણકારી આપવાની સમાજના ધાર્મિક શ્રેષ્ઠીઓ, નેતાઓની ફરજ છે.
અમદાવાદમાં અષાઢી બીજે ૧૩૫ વર્ષથી યોજાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પશ્ચિમ વિસ્તારમાં લઈ જવાની લોકલાગણી બુલંદ બની રહી છે. પશ્ચિમના અનેક વિસ્તારોમાંથી લોકો આ પ્રકારની લાગણી વ્યક્ત કરતાં રહ્યાં છે. પ્રબળ લોકલાગણીના ભાગરૃપે સુચિત રથયાત્રા સ્વાગત કમિટી (પશ્ચિમ) દ્વારા આજે ઈન્કમટેક્સ ખાતે પ્રતિભાવ અને સહીઝૂંબેશ યોજવામાં આવી હતી. સાંજે પાંચ વાગ્યાથી માત્ર બે કલાકના સમયગાળામાં સેંકડો લોકોએ મુક્ત પ્રતિભાવ આપ્યા હતા. રથયાત્રા પશ્ચિમ વિસ્તાર સુધી લંબાવવી જોઈએ તેવી લોકલાગણીને વેગ મળ્યો છે.
સાંજના સમયે ઓફીસોમાંથી છૂટીને જતી મહિલાઓ અને કોલેજોમાંથી છૂટીને જતાં યંગસ્ટર્સે પણ રથયાત્રા પશ્ચિમમાં લાવવાની લાગણી વ્યક્ત કરી હતી. 'વોઈસ ઓફ યુથ' સંગઠન દ્વારા એવો મેસેજ અપાયો હતો કે- 'ઓ લોર્ડ જગન્નાથ, પ્લીઝ કમ ટુ વેસ્ટ સાઈડ.' મહિલાઓએ એવી લાગણી વ્યક્ત કરી હતી કે, અમારા સંતાનોને રથયાત્રા બતાવવી હોય છે પણ સાંકડા માર્ગો ઉપર ભારે ભીડમાં સંતાનોને લઈને જતાં ડર લાગે છે. જો રથયાત્રા પશ્ચિમ વિસ્તારમાં લવાય તો વિશાળ માર્ગો ઉપર બાળકો અને પરિવાર સાથે પ્રભુના દર્શનનો લાભ મળી શકે.
અભિપ્રાય વ્યક્ત કરતાં લોકોએ એવી લાગણી વ્યક્ત કરી કે, બધાને દર્શનનો લાભ મળવો જોઈએ. છેલ્લા ૨૫-૩૦ વર્ષમાં વિકસેલા પશ્ચિમ વિસ્તારમાં ૧૩૫ વર્ષ જુની અને પરંપરાગત રથયાત્રા લંબાવીને મહત્તમ ભાવિકોને દર્શનલાભ મળે તેવું આયોજન કરવું જોઈએ. યંગસ્ટર્સ અને બાળકોમાં ધર્મભાવ અને સાંસ્કૃતિક પરંપરા વ્યાપ્ત બને તે માટે પણ રથયાત્રા પશ્ચિમ વિસ્તાર સુધી લંબાવવાની લાગણી સેંકડો લોકોએ વ્યક્ત કરી હતી.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel}
(Live In :- Ahmedabad, Gandhinagar, Kalol, Mehsana, Visnagar,
Unjha, Sidhpur, Chanasma, Patan, Palanpur,)

No comments:

Post a Comment