સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday 11 March 2015

અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયાના ૧૨૦૦ જેટલા ઉદ્યોગો માટે મુશ્કેલી

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયાના ૧૨૦૦ જેટલા ઉદ્યોગો માટે મુશ્કેલી

કોમન એન્ફલુએન્ટ પ્લાન્ટને ક્લોઝર નોટીસ

ઉદ્યોગોનું પ્રદુષિત પાણી ટ્રીટમેન્ટ કરતી એનસીટીએલ કંપનીજ પ્રદુષણમાં ઝડપાતા જીપીસીબીની કડક કાર્યવાહી
અંકલેશ્વર તા.૧૧
અંકલેશ્વર, પાનોલી તેમજ ઝઘડીયામાં આવેલી આશરે ૧૨૦૦ જેટલી ઇન્ડસ્ટ્રીઝોમાંથી નીકળતુ એન્ફ્લુએન્ટ ્ટ્રીટમેન્ટ કરી શુધ્ધ પાણીને હાંસોટના દરિયામાં ડિસ્ચાર્જ કરતા નર્મદા ક્લીનટેક લીમીટેડના કોમન એન્ફ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટને જીપીસીબીએ ક્લોઝર નોટીસ આપી બંધ કરી દેતા ઉદ્યોગોના પ્રદુષિત પાણીને છોડવાના પ્રશ્નો ઉભા થયા છે. દરમિયાન વીજ કંપની દ્વારા લાઇટ કનેક્શન કાપવા તેમજ પાણીના કનેક્શનો પણ કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ઉદ્યોગપતિઓમાં દોડધામ મચી ગઇ છે.
પ્રાપ્ત માહિતિ મુજબ અંકલેશ્વર, પાનોલી તેમજ ઝઘડિયામાં આવેલી આશરે ૧૨૦૦ જેટલા ઉદ્યોગોમાંથી નીકળતુ એન્ફલુએન્ટ નર્મદા એન્ફલુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગયા બાદ આ પ્લાન્ટમાં પ્રદુષિત પાણીને ટ્રીટમેન્ટ કર્યા બાદ શુધ્ધ થયેલા પાણીને હાંસોટના દરિયામાં ઠાલવવામાં આવતુ હતું. નર્મદા ક્લીનટેક લીમીટેડ સંચાલીત આ પ્લાન્ટમાં ઉદ્યોગોના જે પાણી જતા હતા તે પ્લાન્ટની પાઇપલાઇનમાં હાંસોટ પાસે ભંગાણ સર્જાયુ હતું જેના પગલે નર્મદા ક્લીનટેક લીમીટેડ એટલેકે એનસીટીએલ દ્વારા ઉદ્યોગોનું પ્રદુષિત પાણી આમલાખાડીમાં છોડવામાં આવતુ હતું.
પ્રદુષણ અટકાવવા માટે મહત્વનું કાર્ય કરતી કંપની દ્વારાજ પ્રદુષણ ફેલાવવામાં આવતુ હોવાની વિગતો બહાર આવતા જીપીસીબી દ્વારા એનસીટીએલને નોટીસ આપી ૧૫ દિવસમાં ફોલ્ટમાં સુધારો કરી રિપોર્ટ રજુ કરવાની સુચના આપવામાં આવી હતી પરંતુ એનસીટીએલ દ્વારા પ્રદુષિત પાણીને છોડવા અંગે કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને કસુરવાર રહેતા આખરે જીપીસીબી દ્વારા ૧૨૦૦ ઉદ્યોગોના પ્રદુષિત પાણીને એન્ફ્લુએન્ટ કરતા ટ્રીટમેન્ટ પ્લાન્ટને ક્લોઝર નોટીસ આપી દીધી હતી. આ નોટીસના પગલે હવે વીજ કંપની દ્વારા લાઇટ કનેક્શન કાપવા તેમજ પાણીના કનેક્શન પણ બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દરમિયાન જીપીસીબી દ્વારા વિવિધ ઔદ્યોગિક એસ્ટેટોને પણ સુચના આપી દીધી છે કે પોતાની કંપનીમાંથી એન્ફલુએન્ટ છોડવાનું નહી. ઉલ્લેખનીય છે કે જે-તે એસ્ટેટ ૪૮ કલાક એન્ફલુએન્ટ સ્ટોરેજ કરી શકે છે પરંતુ ત્યારબાદ તેને છોડવાનું હોય છે. જો કે જીપીસીબીએ કોમના ટ્રીટમેન્ટ પ્લાન્ટજ બંધ કરાવી દેતા અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયાના ઉદ્યોગો પર સંકટ ઉભુ થયુ છે. જીપીસીબીની આ કાર્યવાહીના પગલે ઉદ્યોગપતિઓ આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે દોડતા થઇ ગયા છે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment